શહેરના ગિરનાર દરવાજા નજીક રહેતા ગીતાબેન રાજુભાઈ પંડ્યા હનુમાન ખાતે આવેલા ઘરે હાજર હતા ત્યારે બે અજાણ્યા શખ્શો આવ્યા હતા અને રિલાયન્સ મોલમાંથી આવીએ છીએ વાસણો અને દાગીના ચમકાવવાના કેમિકલની જાહેરાત માટે આવ્યા છીએ તેમ કહી વાસણમાં કેમિકલ લગાવી ચમકાવી આપ્યા હતા તેમણે પહેલા વાસણો ચમકાવી આપતા મહિલાએ વિશ્વાસમાં આવી કાનમાં પહેરવાની ઘડી આપીને છેતરાઈ ગયા હતા બાદમાં ગીતાબેન ના સાંકડા ચમકાવી આપ્યા હતા ગઠિયાઓએ ગીતાબેનના કાનમાં કડી જોઈ તે કાળી થઈ ગઈ હોવાથી તેને સાફ કરવા કહી તેમાં કેમિકલ લગાડ્યું હતું અને વાટકામાં નાખેલા પ્રવાહીમાં કડી નાખી અને તડકે રાખી 20 એક મિનિટ બાદ બહાર કાઢી લેજો તેમ કહી જતા રહ્યા હતા વાટકામાંથી કડી બહાર કાઢી જોતા બંને કડીમાં કાણા પડી ગયા હતા સોનીને બતાવતા બંને કડીઓ માંથી બે ગ્રામ અને 130 મિલી જેટલું સોનું ઓછું થઈ ગયું હતું આશરે 10000 ની કિંમતનું સોનું ઓગાળી બંને ગઠીયાઓ નાસી ગયા હતા. આ અંગે ગીતાબેન પંડ્યાએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે