Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડનો ચોંકવાનરો નિર્ણય

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવામાં આવ્યા છે. આ સાથે જ વિજય રૂપાણી માટે વિધાનસભાની ચૂંટણી લડવાની સંભાવના લગભગ ઓછી થઇ ગઈ છે. ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડના આ નિર્ણયથી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ જવાબદારી એવા સમયે આવી છે કે જયારે ગુજરાત વિદ્યાસભાની ચૂંટણી માથે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમમંત્રી વિજય રૂપાણી રાજકોટના મેયર ઉપરાંત તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છે અને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેઓ સંગઠનના વ્યક્તિ છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સાથે સાથે અન્ય 15 રાજ્યોના પ્રભારીની પણ નિમણુંક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી હાઇકમાન્ડે વિજય રૂપાણી પણ ભરોસો મૂકીને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિજય રૂપાણીએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે જો પાર્ટી ટીકીટ આપશે તો લડીશ નહીંતર પાર્ટીને જીતાડવા માટે કાર્ય કરતો રહીશ. આ વાત તે અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે કહી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવતા હવે તેનું ગુજરાતમાં રોલ પૂર્ણ થઇ જશે.

संबंधित पोस्ट

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

Karnavati 24 News

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Admin

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

ઉદ્ધવ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કરશેઃ શિંદેએ પાર્ટી પર દાવેદારી નોંધાવ્યા બાદ ઉદ્ધવ FB લાઈવ કરશે, 5 વાગ્યા હતા, હજુ શરૂ નથી થયું

Karnavati 24 News

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

Karnavati 24 News

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News
Translate »