Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ પત્ર લખ્યો હોવાની વાતનો ઉલ્લેખ ગુજરાત અમદાવાદ પ્રવાસ દરમિયાન કેજરીવાલે કર્યો હતો. ત્યારે આ પત્ર વાંચતા પહેલા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પોલીસ ગ્રેડ પે બાબતે પોલીસ જવાનોમાં પીડા છે. સરકારના લોકો દ્વારા દબાવવામાં આવે છે અને તેમાં પોલીસ પરીવારની એક દિકરીએ કેજરીવાલને પત્ર લખ્યો છે.

જેમાં ઉલ્લેખ કરાયા મુજબ, આપ પર અમને અને સમગ્ર ભારતને ગર્વ છે. ગુજરાત પોલીસની નોકરી, પગાર તેના ભથ્થા, કામના કલાકોના દુરુપયોગ કરી આ વિશે માહિતી પ્રાપ્ત કરશો. સમગ્ર ભારતમાં ગુજરાત પોલિસની શું સ્થિતિ છે. 2023માં આપ પાર્ટીની સરકાર બનવાની છે. ત્યારે આપ ગુજરાત પોલીસને ન્યાય અપાવશો અમને હવે માત્ર આપ પર ભરોસો રહ્યો છે. આપ સત્યના ભેખ ધારી છો. પોલીસની નાનકડી દીકરીના વંદન. એમ આ પ્રકારની વિગતો પત્રમાં ઉલ્લેખ કરાઈ હતી.  ત્યારે અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું કે, તમે આ દિકરીના પત્રને સાંભળ્યો તમે અમારી પર મોટો વિશ્વાસ બતાવ્યો છે. તમે અમને પત્ર લખ્યો છે.
તમારા વિશ્વાસને અમે તૂટવા નહીં દઈએે. હું ગુજરાતના પોલીસ કર્મીઓને કહેવા માંગું છું કે, તમે પોતાની રીતે નોકરીના ખતરામાં રાખ્યા વિના આપ પાર્ટીને સરકાર બનાવવા માટે દમ બતાવ્યો છે. ગુજરાતમાં 20 હજાર પોલીસ કર્મચારીને પગાર આપવામાં આવે છે. સૌથી ઓછી સેલેરી ગુજરાત પોલીસની છે. સૌથી બેસ્ટ સેલેરી અમે આપીશું. ગુજરાત પોલીસને સારી સેલરી આપીશું ગુજરાતમાં તમે જ્યાં પણ છો કામ કરતા રહો. આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં અમને મદદ કરતા હોય.

संबंधित पोस्ट

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ છેલ્લા 1 વર્ષથી બંધ જોવા મળી

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Karnavati 24 News

આઝમગઢમાં બીજેપી નેતા ડો.એમ ચુબાએ કહ્યું: આઝાદી સમયે મળેલા કાચા માલનો યોગ્ય રીતે ઉપયોગ થયો ન હતો, યોગી સરકાર યુપીમાં સારું કામ કરી રહી છે

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: PM મોદીને ગુજરાત ચૂંટણીમાં બાટલા હાઉસ યાદ આવ્યું, આતંકવાદ પર કોંગ્રેસને ઘેરી

Admin

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News