Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

આગામી મહાશિવરાત્રીના પર્વને ધ્યાને લઈને પશ્ચિમ રેલ્વે દ્વારા લોકોની સુવિધા માટે આયોજન કર્યુ છે. આ અંગે ભાવનગર ડિવીઝનના વાણીજ્ય પ્રબંધક માશુક અહેમદના જણાવ્યા મુજબ ભાવનગર રેલવે ડિવિઝનના જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરાય છે. ..આથી મહાશિવરાત્રીના મેળાને લગતી ભીડને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ-સત્તાધર-જૂનાગઢ વચ્ચે આજે તા.૨૬.૦૨.૨૨ થી ૦૩.૦૩.૨૨ સુધી ૦૬ દિવસ માટે મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. તેમજ આ ૦૬ દિવસ માટે વધારાના કોચ લગાડવવામાં આવશે.જેમાં પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસમાં એક, વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં એક, સોમનાથ-રાજકોટ-સોમનાથ પેસેન્જર ટ્રેનમાં એક વધારાનો જનરલ કોચ. આ ઉપરાંત સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં પણ તા.૨૨ ફેબ્રુઆરી થી બે વધારાના જનરલ કોચ કાયમી ધોરણે લગાવાશે. રાજકોટ ડિવીઝનના અભીનવ જૈફની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ-સોમનાથ-રાજકોટ ટ્રેન, રાજકોટ-વેરાવળ-રાજકોટ ટ્રેન અને પોરબંદર-સોમનાથ-પોરબંદર ટ્રેનમાં આજે તા.૨૬ ફેબ્રુઆરી થી લઈને આગામી ૦૩ માર્ચ ૨૦૨૨ સુધી વધારાનો એક જનરલ કોચ લગાવવામાં આવશે.રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે..મહાશિવરાત્રી પર્વ પર શ્રધ્ધાળુઓની ભીડને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.

संबंधित पोस्ट

લોક વિદ્યાલય વાળુકડ ખાતે ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ આજુબાજુની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

Admin

સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે વડાપ્રધાન મોદી એ જંગી સભાને સંબોધી; 105 કરોડનાં ખર્ચે દમણમાં વિકાસના 7 કામોનું લોકાર્પણ

Gujarat Desk

UIDAIના ઉપક્રમે ફિનટેક અને ટેલિકોમ ક્ષેત્રની અવિરત સેવા, વિતરણને વધુ શ્રેષ્ઠ બનાવવા મુંબઈ ખાતે ‘આધાર સંવાદ’ યોજાયો

Gujarat Desk

New Covid-19 mutant XE could be most transmissible yettbb, says WHO

ઉમેદવારો હવે ચૂંટણી ખર્ચ માટે ઓનલાઇન ક્રાઉડફંડિંગ તરફ વળ્યા . .

Admin

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના ૨૧૬૦ ખેડૂતોને નવા વીજજોડાણ ખર્ચમાં રૂ. ૨૨૫ લાખથી વધુની રાહત અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk
Translate »