વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા નકલી મતદારો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે, ગુજરાતમાં 18 લાખ જેટલા નકલી મતદારો છે.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે. 18 લાખ મતદારો નકલી હોવાનો દાવો કરાતા, આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. સીજે ચાવડા વિપક્ષ દંડકે કહ્યું કે, મહેસાણામાં 6,679 નકલી મતદારો છે. 4000 મતદારો બીજી વિધાનસભામાં નામ હોય તેવા હોવાનો દાવો પણ કરાયો છે. એક જ ઘરમાં એક જ વ્યક્તિક જ સોસાયટીઓ નકલી મતદારો હોવાનોે પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તરફથી દાવો કરાયો હતો કે, 2017માં કોંગ્રેસ 20 બેઠકો પરથી 1,000 કરતા ઓછા મતોથી હારી ગઈ હતી.
આ મામલે સીજે ચાવડાએ કહ્યું હતું કે, ચૂંટણીપંચને રજૂઆત કરાશે અને નિવેડો ના આવતા જરુર પડતા હાઈકોર્ટના દ્વારા પણ ખટખટાવવામાં આવશે. તે પ્રકારની વાત સીજે ચાવડાએ કહી હતી.