Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જામનગર બાર એસોસિએશનના આઠમી વાર પ્રમુખ બનતા સુવા

જામનગર તા.25: જામનગર બાર એસોસિએશનના વર્ષ 2022ના હોદેદારો માટેની ચૂંટણીનું ગઈકાલે ઉત્સાહભર્યા માહોલમા મતદાન અને મતગણતરી પૂર્ણ થયા બાદ જામનગર બારનું સુકાન સતત આઠમી વખત પ્રમુખ ભરતભાઇ સુવાના હાથમાં આવ્યું છે. વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ સુવાનો જંગી લીડથી જબરદસ્ત વિજય થયો છે. જામનગર બાર એસોસીએશનના આગામી વર્ષના હોદ્દેદારોની વરણી માટે ગઈકાલે સવારે 9:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વકીલોના અભૂતપૂર્વ ઘસારાને લઈને લાંબી લાઈનો લાગી હતી ત્યારબાદ સાંજના સમયે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખપદ માટે બાર એસોના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો આ જંગમાં ભરતભાઇ સુવાને 584 મત મળતા તેમનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી, ભરતસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી જંગમા 395 મત મળતા અશોકભાઈ જોષીએ જીતનો સ્વાદ ચાખ્યો હતો. વધુમાં મંત્રી માટે મનોજભાઈ ઝવેરી , કિશોરસિંહ ઝાલા , ગીરીશભાઈ સરવૈયા વચ્ચે ત્રી પંખીયા ચૂંટણી જંગમાં 508 મત સાથે મનોજભાઈ ઝવેરીએ ઝળહળતી જીત મેળવી હતી. તેમજ લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ , માજોઠી એઝાઝ મેદાનમાં હતા જેમાં 542 મત મળતા જાડેજા જયદેવસિંહનો વિજય થયો હતો. તથા સહમંત્રી માટે અશરફઅલી ઘોરી , જાગૃતિબેન જોગડિયા , વનરાજસિંહ ચુડાસમા વચ્ચેના જંગમાં વનરાજસિંહ ચુડાસમાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે. આ ઉપરાંત કારોબારી સમિતિના સભ્ય તરીકે ગછર દિપક, પરેશ ગણાત્રા, મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, ચાંદની પોપટ, મૃગેન ઠાકર અને કે.કે.વિસરીયા ચુંટાયેલા જાહેર કરાયા હતા.

संबंधित पोस्ट

ગાંધીનગરમાં છાવણી ખાતે દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ પોતાની માંગણીઓ સ્વીકારવા આંદોલન કર્યું,સરકાર હવે દિવ્યાંગ ભાઈઓ-બહેનોના આંદોલનથી ચિંતિત

શરદ પવારની બેઠકમાં મમતા નહીં આવેઃ બંગાળના સીએમ પાસે સમય નથી, અભિષેક બેનર્જી રાષ્ટ્રપતિ પદ માટે બેઠકમાં હાજરી આપશે

Karnavati 24 News

આદિત્ય ઠાકરેના જવાબમાં ભાજપ મેદાનમાં ઉતારશે તેજસ્વી સૂર્યાને; મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ

Admin

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

Karnavati 24 News

સર્વેના વિવાદ વચ્ચે યોગી સરકાર મદરેસાના આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે, પુસ્તકોના ખાતામાં પૈસા પણ આપશે

આ મારી છેલ્લી ચૂંટણી છેઃ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતે કહ્યું- ચૂંટણી ગુપ્ત છે, 18 સુધીમાં ઘણું બદલાઈ જશે; વડાપ્રધાનને બોલાવ્યા, વાત કરી નહીં

Karnavati 24 News
Translate »