Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જામનગર બાર એસોસિએશનના આઠમી વાર પ્રમુખ બનતા સુવા

જામનગર તા.25: જામનગર બાર એસોસિએશનના વર્ષ 2022ના હોદેદારો માટેની ચૂંટણીનું ગઈકાલે ઉત્સાહભર્યા માહોલમા મતદાન અને મતગણતરી પૂર્ણ થયા બાદ જામનગર બારનું સુકાન સતત આઠમી વખત પ્રમુખ ભરતભાઇ સુવાના હાથમાં આવ્યું છે. વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ સુવાનો જંગી લીડથી જબરદસ્ત વિજય થયો છે. જામનગર બાર એસોસીએશનના આગામી વર્ષના હોદ્દેદારોની વરણી માટે ગઈકાલે સવારે 9:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વકીલોના અભૂતપૂર્વ ઘસારાને લઈને લાંબી લાઈનો લાગી હતી ત્યારબાદ સાંજના સમયે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખપદ માટે બાર એસોના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો આ જંગમાં ભરતભાઇ સુવાને 584 મત મળતા તેમનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી, ભરતસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી જંગમા 395 મત મળતા અશોકભાઈ જોષીએ જીતનો સ્વાદ ચાખ્યો હતો. વધુમાં મંત્રી માટે મનોજભાઈ ઝવેરી , કિશોરસિંહ ઝાલા , ગીરીશભાઈ સરવૈયા વચ્ચે ત્રી પંખીયા ચૂંટણી જંગમાં 508 મત સાથે મનોજભાઈ ઝવેરીએ ઝળહળતી જીત મેળવી હતી. તેમજ લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ , માજોઠી એઝાઝ મેદાનમાં હતા જેમાં 542 મત મળતા જાડેજા જયદેવસિંહનો વિજય થયો હતો. તથા સહમંત્રી માટે અશરફઅલી ઘોરી , જાગૃતિબેન જોગડિયા , વનરાજસિંહ ચુડાસમા વચ્ચેના જંગમાં વનરાજસિંહ ચુડાસમાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે. આ ઉપરાંત કારોબારી સમિતિના સભ્ય તરીકે ગછર દિપક, પરેશ ગણાત્રા, મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, ચાંદની પોપટ, મૃગેન ઠાકર અને કે.કે.વિસરીયા ચુંટાયેલા જાહેર કરાયા હતા.

संबंधित पोस्ट

કોંગ્રેસ અધ્યક્ષ માટે દિગ્વિજય સિંહ પણ લડી શકે છે ચૂંટણી, આજે કરશે સોનિયા ગાંધી સાથે મુલાકાત 

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

મોદી સરકારના 8 વર્ષ: પહેલીવાર સંસદ પહોંચ્યા ત્યારે સીડીઓ ચુંબન કરી,

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin
Translate »