સુરત માં રોડ રસ્તા ની વાત કરવામાં આવે તો અમુક સોસાયટીમાં રોડ માત્ર નામના બનાવવા મા આવતા હોય તેવું લાગે રહ્યું છે..સુરત મા રોડ રસ્તા તો બનાવવા માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરવામાં આવતું હોવાથી થોડા સમય મા જ રોડ ખરાબ થઈ જાય છે..આવીજ માંગ સુરત ના પુણા વિસ્તાર માં આવેલી નારાયણ નગર સોસાયટી ના રહીશો ની છે…છેલ્લા 2013 થી આ સોસાયટી ના સ્થાનિકો આર સી સી રોડ ની માંગ કરી રહ્યા છે..જોકે વારંવાર તંત્ર ને રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી .જોકે સ્થાનિક રહીશો દ્વારા રોડ બનાવવા માટે સુરત મહાનગર પાલિકા ને રૂપિયા પણ જમા કરાવી ચુક્યા છે તેમ છતાં અશિકારીઓ ના લેટ નું પાણી પણ હલતું નથી . તેથી સોસાયટી ના રહીશો રોષે ભરાયા હતા અને સોસાયટી ના તમામ સભ્યો ટ્રેકટર ભરી વરાછા ઝોન ઓફિસ ખાતે મોરચો માંડ્યો હતો..રોડ ની માંગ નહીં સંતોષાતા નારેબાજી કરી હતી…અધિકારીઓ ના કાન સુધી વાત પહોંચાડવા માટે આખી સોસાયટી ઝોન ઓફિસ ખાતે પહોંચી હતી અને રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો..