Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોરબંદર પીજીવીસીએલે વર્તુળ કચેરી હેઠળ મોટાપાયે વીજ દરોડા : ૧ કરોડને પ લાખની ચોરી ઝડપાઇ

પોરબંદર પીજીવીસીએલ વર્તુ કચેરી હેઠળ પાંચ દિવસીય વીજ ચેકીંગ ડ્રાઇવોનું આયોજન કવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાતા ૧ કરોડ પ લાખની વીજચોકી ઝડપાઇ હતી. ગેરરીતી કરનારને દંડનીય પુરવણી બીલો પીજીવીસીએલ મારફત જ આપવામાં આવેલ છે. જેના કારણે વીજચોરી કરનાર ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
પીજીવીસીએલ કચેરી દ્વારા સમયાંતરે વીજ ચેકીંગ ડ્રાઇવોનું આયોજન કરવામાં આવે છે અને આ ડ્રાઇવ અંતર્ગત વીજ ચોરી કરનારાઓને દંડ ફટકારવામાં આવે છે. પોરબંદર પીજીવીસીએલે આપેલી માહિતી મુજબ તા.૧૮ એપ્રિલથી રર એપ્રિલ દરમિયાન પીજીવીસીએલ નીગમીત કચેરીના વિઝીલન્સ વિભાગની સૂચના મુજબ કોર્પોરેટર ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર વર્તુ કચેરી હેઠળની પોરબંદર કોસ્ટલ, બગવદર, રાણાવાવ, રાણાકંડોરણા, કુતિયાણા, ચોરવાડ, માંગરોળ ગ્રામ્ય, માધવપુર, કેશોદ શહેર, કેશોદ ગ્રામ્ય, માળિયા પેટા વિભાગીય કચેરીઓ હેઠળ આવતા ફિડરોમાં વધુ વીજ લોસ ધરાવતા ફિડરોના વિસ્તરોમાં ચેકીંગ ડ્રાઇવનું આયોજ કરવામાં આવેલું હતું. આ ચેકીંગ એસઆરપી તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. જે અન્વયે રહેણાંક હેતુના પ૦૬૦ જોડાણો, વાણિજ્ય હેતુના ર૭૦ વીજ જોડાણો અને ખેતીવાડીના ૩પ૬ વીજ જોડાણો ચેક કરવામાં આવેલા હતા. જેમાંથી રહેણાંક હેતુના પપ૪ વીજજોડાણોમાં, વાણિજ્ય હેતુના ૩૪ વીજ જોડણોમાં અને ખેતીવાડીના ૪૬ વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા સદર ગેરરીતી કરનારને ૧૦પ.૯૧ લાખના દંડનીય ચુકવણીના બીલો પીજીવીસીએલ મારફતે આપવામાં આવેલ છે. આ ચેકીંગ ડ્રાઇવ દરમિયાન વીજચોરી કરનાર ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં પીજીવીસીએલ પોરબંદર વર્તુ કચેરી હેઠળ વીજ લોસનું પ્રમાણ વધવા પામેલ હોય જેથી વીજચોરીને કારણે તંત્રને ભોગવવો પડતો હોય જેના કારણે વીજ લોસ ઘટાડવા સતત વીજ ચેકીંગ ડ્રાઇવો યોજવામાં આવી રહી છે. પાંચ દિવસ ચાલેલી આ વીજ ચેકીંગ ડ્રાઇવના કારણે ૧ કરોડથી વધુની વીજચોરી ઝડપાઇ છે.

संबंधित पोस्ट

વાલીઓ દ્વારા ધો.7ના વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ બાદ અમદાવાદ મણિનગરની હેબ્રોન સ્કૂલને નોટિસ; શિક્ષક સસ્પેન્ડ 

Gujarat Desk

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

Karnavati 24 News

કલેકટરશ્રીની મેહુલ કે.દવેની સુચના થકી ચાલુ માસમાં સઘન ચેકીંગ હાથ ધરી ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહ ના કુલ ૧૧ કેસો:  આશરે ૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

Gujarat Desk

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી પ્રતાપરાવ જાધવ 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરશે

Gujarat Desk

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

Karnavati 24 News

છ દિવસમાં કુલ રૃ.૫૯.૧૧ કરોડની કિંમતની ૧.૧૪ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

Gujarat Desk
Translate »