Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વાલીઓ દ્વારા ધો.7ના વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ બાદ અમદાવાદ મણિનગરની હેબ્રોન સ્કૂલને નોટિસ; શિક્ષક સસ્પેન્ડ 



(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

ફરી એકવાર શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાનો આક્ષેપ વાલીએ કર્યો હતો. આ મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી જેને ધીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષિકાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમજ સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને શિક્ષિકા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ગુજરાતી ભાષાના શિક્ષિકાએ ધોરણ 7ના વિદ્યાર્થીને માર માર્યો હતો. જો કે, આ પછી વિદ્યાર્થી ઘરે પરત પહોંચ્યો, ત્યારે તેને સમગ્ર મામલે તેના માતા-પિતાને જાણ કરી હતી. સમગ્ર મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજીને કરીને જાણ કરી હતી. ધોરણ 7ના વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં અધિકારીએ તાત્કાલિક પગલા લઈને શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમજ આ મામલે વાલીએ શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. જ્યારે અધિકારીએ ઘટનાને લઈને જવાબદાર શિક્ષિકા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાના આદેશ કરવામાં આવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેનો અહેવાલ એક દિવસમાં શિક્ષણ વિભાગની કચેરીએ રજૂ કરવો. જો આમ નહીં કરવામાં આવે તો સ્કૂલ મંડળ વિરૂદ્ધમાં નિયમોનુસાર માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે. 

संबंधित पोस्ट

પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ ! પલસાણા એક જ રાતમાં ત્રણ મકાનોમાં તસ્કરોએ કરી ચોરી

Karnavati 24 News

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડે જસપ્રીત બુમરાહ માટે ખાસ ગીત રજૂ કરી તમામનું દિલ જીતી લીધું

Gujarat Desk

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin

કેન્દ્રના વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ગ્રીન એનર્જી લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગુજરાત ૧૦૦ GWથી વધુની ક્ષમતા સ્થાપિત કરવા સંકલ્પબદ્ધ-ઊર્જા મંત્રીશ્રી કનુ દેસાઈ

Gujarat Desk

અમદાવાદજૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8 રૂપિયામાં જમવાનું અપાશે- કોંગ્રેસ.

Karnavati 24 News

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

Karnavati 24 News
Translate »