Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

રાજ્યમાંથી માવઠાની અસર હટતા જામનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ફરી ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થયો છે. ઠંડીના વધતા જતા પ્રભુત્વને પગલે આજે જામનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાતા જામનગર ઠુંઠવાયું હતું. ટાઢાબોળ વાતાવરણથી બચવા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો પણ સહારો લીધો હતો. છેલ્લા 20 દિવસની સરખામણીએ જામનગરમાં આજે અને ગઈકાલે સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ગુજરાતમાંથી માવઠાની મોકાણનું જોર ઘટતા ઠંડીએ જોર પકડ્યું છે. જેને લઈને જામનગરમાં પણ ઠંડીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો સડસડાટ નીચે સરકતા ઠંડી એ માથું ઊંચક્યું છે. તંત્રના સત્તાવાર રીતે જાહેર થયેલ આંકડા મુજબ જામનગરમા આજે લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેવા પામ્યું હતું જ્યારે મહતમ તાપમાનનો પારો 23.5 ડિગ્રીએ અટક્યો હતો. વધુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 અને પવનની ગતિ 3.2 પતિ કિમિ રહેવા પામી હતી

संबंधित पोस्ट

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

એકમ ક્સોટીનું પ્રશ્નપત્ર વાય૨લ થયાની ઘટના સત્યથી વેગળી : શિક્ષણ બોર્ડ

Karnavati 24 News

માંગરોળ તાલુકાના માનખેત્રા થી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો

Admin

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

Karnavati 24 News