Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

રાજ્યમાંથી માવઠાની અસર હટતા જામનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ફરી ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થયો છે. ઠંડીના વધતા જતા પ્રભુત્વને પગલે આજે જામનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાતા જામનગર ઠુંઠવાયું હતું. ટાઢાબોળ વાતાવરણથી બચવા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો પણ સહારો લીધો હતો. છેલ્લા 20 દિવસની સરખામણીએ જામનગરમાં આજે અને ગઈકાલે સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ગુજરાતમાંથી માવઠાની મોકાણનું જોર ઘટતા ઠંડીએ જોર પકડ્યું છે. જેને લઈને જામનગરમાં પણ ઠંડીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો સડસડાટ નીચે સરકતા ઠંડી એ માથું ઊંચક્યું છે. તંત્રના સત્તાવાર રીતે જાહેર થયેલ આંકડા મુજબ જામનગરમા આજે લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેવા પામ્યું હતું જ્યારે મહતમ તાપમાનનો પારો 23.5 ડિગ્રીએ અટક્યો હતો. વધુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 અને પવનની ગતિ 3.2 પતિ કિમિ રહેવા પામી હતી

संबंधित पोस्ट

 સ્વતંત્રતા પછી પહેલીવાર ખંભાતના પાંદડ ગામે ક્ષત્રિય મહિલા સરપંચે દલિત સમાજ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે વિધર્મી યુવક દ્વારા એક હિન્દુ યુવતીને ભગાડી લઈ જતાં આજે બીજા દિવસે પણ ગરબાડા સહિત ગાંગરડી તેમજ આસપાસના વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતાં ત્યારે બીજા દિવસે બનાવ

Karnavati 24 News

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું, આ છે તૈયારીઓ

Admin

દાહોદમાં ગુજકેટની પરીક્ષા શાંત માહોલમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જરૂરી આદશો કર્યા

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News