સમદ્રષ્ટિ ના ભાવને દર્શાવતા ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમ નો ભવ્ય શુભારંભ તારીખ ૧૬ થી ૨૦ નવેમ્બર સુધી સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ સમાલખા ગ્રાઉન્ડ (હરિયાણા) ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે. સંત સમાગમની તૈયારી લગભગ સંપન્નતા ની તરફ છે. ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમ સ્વયંમાં ઐતિહાસિક તેમજ અનન્ય છે કારણ કે આ દિવ્ય સંત સમાગમો ની અવિરલ શ્રૃંખલાઓ ને સફળાપૂર્વક તેમના ૭૪ વર્ષ સમ્પન્ન કરી લીધા છે.
વિભિન્ન તહેવારના આ સમયમાં દરેક શ્રદ્ધાળુ ભક્ત પોતાના પરિવારની જવાબદારી ને નિભાવીને સંત સમાગમ સેવાઓ માં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. સદગુરુ માતા જી પણ સમાગમ સ્થળની સંપૂર્ણ ગતિવિધિઓ નું અવલોકન કરી રહ્યા છે અને તેમના પવિત્ર દર્શનની પ્રાપ્તિ કરી દરેક ભક્તજન સ્વયં ને ધન્ય મહેસૂસ કરી રહ્યા છે. પોતાના સદગુરૂના દિવ્ય દર્શનની પ્રાપ્તિથી ભક્તો માં પણ સેવા ની તરફ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આધ્યાત્મના આ અલૌકિક સ્વરૂપ ને જોઈ ને એવું પ્રતીત થઈ રહ્યું છે કે માનો જેમ સમાગમ સેવાઓમાં હાજર રહેવા વાળા પ્રત્યેક ભક્ત દિવ્યતા ના વાતાવરણમાં દરેક પળ ભક્તિમય થઈ રહ્યો છે. આ વર્ષ ના ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમ માં ભારત તેમજ દૂર દેશોથી વધારે માં વધારે સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્ત સમાવેશ થવાના છે. સમાગમ સ્થળ પર સત્સંગ પંડાલ ઉપરાંત વધારે રહેવા માટે ટેન્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે જ્યાં બહારથી આવનાર શ્રદ્ધાળુ ભક્તો ના માટે રહેવા તથા લંગર વગેરેની ઉચિત વ્યવસ્થા હશે. સાથે જ અલગ-અલગ મેદાનોમાં થોડી કેન્ટિનનો ની પણ સુવિધાઓ આપવામાં આવશે જેમાં નાસ્તા વગેરેની વસ્તુઓ ઓછા ભાવમાં ઉપલબ્ધ હશે.
આ ઉપરાંત મેદાનોમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ પાર્કિંગ, સુરક્ષા વગેરેની પણ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી આવવા વાળા દરેક ભક્તોને કોઈ પણ પ્રકારની કોઈ અસુવિધા ના રહે. સત્સંગ પંડાલમાં આજુબાજુ સંત નિરંકારી મંડળના વિભિન્ન વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ વગેરે કાર્યાલય પણ હશે. પ્રકાશન વિભાગની તરફ થી અલગ-અલગ સ્થળો પર સ્ટોલ લગાવવામાં આવશે. આ ઉપરાંત મિશન ના ઈતિહાસ તેમજ સંપૂર્ણ સમાગમના સ્વરૂપને નિરંકારી પ્રદર્શની નાં મુખ્ય આકર્ષણ ના રૂપમાં દર્શાવવામાં આવશે. આ દિવ્ય સંત સમાગમ માં હાજર રહેવા વાળા ભક્તો માટે ભારતીય રેલ્વે દ્વારા આધ્યાત્મિક સ્થળ સમાલખાની નજીક ભોડવાલ માજરી રેલ્વે સ્ટેશન પર લગભગ દરેક ટ્રેનને રોકવાની અનુમતિ આપી દીધી છે. આ સુવિધા થી ટ્રેન થી યાત્રા કરવા વાળા ભક્તજન લાભ લઈ શકશે. આ દિવ્ય સંત સમાગમ નો ઉદ્દેશ્ય માનવતા તેમજ ભાઈચારાની ભાવના ને દ્રઢતા પ્રદાન કરવાનું તથા ‘રુહાનીયત માં ઇંશાનિયત’ નું મહત્વ ને દર્શાવવાનું છે જે માત્ર બ્રહ્માનુભૂતી થી જોડાઈ ને જ સંભવ છે.