Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાતના રાજકારણમા મોટા સમાચાર, અલ્પેશ કથિરીયા-ધાર્મિક માલવિયા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત પાસના નેતાઓ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઇ શકે છે. અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે સુરત પાસના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે. અલ્પેશ કથિરીયા સુરતના વરાછા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથિરીયા નોન પોલિટિકલ ચહેરા તરીકે ઉભર્યો હતો. સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલ્પેશ કથિરીયાએ આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો હતો અને સફળતા અપાવી હતી. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી હતી અને વિપક્ષી પાર્ટી બની હતી.

અલ્પેશ કથિરીયાએ ભાજપના કોર્પોરેટર રહી ચુકેલા કાવ્યા પટેલ સાથે સગાઇ કરી હતી. અલ્પેશ કથિરીયા સામે રાજદ્રોહ સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે અને તે જેલવાસ પણ ભોગવી ચુક્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતીનો મુખ્ય ચહેરો

અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલન સમિતીનો મુખ્ય ચહેરો રહી ચુક્યો છે. અલ્પેશ કથિરીયા, હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલીયા, નિખિલ સવાણી જેવા યુવા ચહેરા પાટીદાર સમાજનો ચહેરો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની આ વર્ષના અંતે ચૂંટણી યોજાવાની છે.

संबंधित पोस्ट

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો જ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ શકશે

Karnavati 24 News

અમદાવાદ જિલ્લામાં 25થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

Karnavati 24 News

‘ભારત જોડો યાત્રા પર હુમલો, સફળતાનો સંકેત’, કોંગ્રેસે કહ્યું- યાત્રા પછી ખતમ થઈ જશે ભાજપ

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ  

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

દિલ્હીના એલજીના શપથ પર હર્ષવર્ધન ગુસ્સે: પૂર્વ કેન્દ્રીય મંત્રીને ન મળી ખુરશી, ગુસ્સામાં સમારોહ છોડી દીધો

Karnavati 24 News
Translate »