Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાશે

ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા ફટકો પડ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવી રવિવારે ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. કૈલાશ ગઢવીએ કોંગ્રેસમાંથી નારાજ થઇને રાજીનામુ આપ્યુ હતુ.

ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ નારાજ થઇને પાર્ટી છોડી દીધી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવીએ ટ્વીટર પર પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસ સત્તા બનાવવામાં નિષ્ફળ ગયુ છે. કોંગ્રેસથી તેમના કાર્યકર્તાઓને નુકસાન થઇ રહ્યુ છે. કૈલાશ ગઠવી ઇસુદાન ગઢવી અને પ્રદેશના અન્ય નેતાઓની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ આપમાં જોડાયા હતા

સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ સાથે જ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મહત્વપૂર્ણ છે કે આ વર્ષના અંતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ગુજરાતમાં પણ આપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટીનું દામન પકડી રહ્યા છે.

संबंधित पोस्ट

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

Karnavati 24 News

ભાવનગરમાં બિન સચિવાલય પરીક્ષા મામલે ભાજપના આ કાર્યકરનો વીડિયો વાયરલ

Karnavati 24 News

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022: AAPએ ઉડાડી ભાજપની ઉંઘ! પીએમ મોદી અને અમિત શાહ સામે ગઢ બચાવવાનો પડકાર

Admin

વોર્ડ નં.૪માં મોરબી રોડ થી મધુવન રોડ સુધી રોડ કામનું ખાતમુહૂર્ત રાજકોટ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરિયા અને સોનલબેન ચોવટીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Karnavati 24 News

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News