Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાશે

ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા ફટકો પડ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવી રવિવારે ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. કૈલાશ ગઢવીએ કોંગ્રેસમાંથી નારાજ થઇને રાજીનામુ આપ્યુ હતુ.

ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ નારાજ થઇને પાર્ટી છોડી દીધી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવીએ ટ્વીટર પર પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસ સત્તા બનાવવામાં નિષ્ફળ ગયુ છે. કોંગ્રેસથી તેમના કાર્યકર્તાઓને નુકસાન થઇ રહ્યુ છે. કૈલાશ ગઠવી ઇસુદાન ગઢવી અને પ્રદેશના અન્ય નેતાઓની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ આપમાં જોડાયા હતા

સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ સાથે જ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મહત્વપૂર્ણ છે કે આ વર્ષના અંતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ગુજરાતમાં પણ આપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટીનું દામન પકડી રહ્યા છે.

संबंधित पोस्ट

અનુ.જાતિ મોરચા દ્વારા માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

‘ધારા‘સભ્યોને મકાનનું ભાડું રોજનો સવા રૂપિયો, મેડિકલ સુવિધા અને હરવા-ફરવાનું મફત!

Karnavati 24 News

૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં માટે રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ

Karnavati 24 News

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

સ્મૃતિ ઈરાનીની દીકરી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- આ ‘તુલસી સંસ્કારી બાર’ નથી

Karnavati 24 News

નરેન્દ્ર મોદી તેમના ‘સેકન્ડ હોમ’માં: PM બન્યા બાદ પ્રથમ વખત હિમાચલમાં રાત્રિ રોકાણ કરશે; કાંગરી ધામ અને સેપુ મોટી પીરસવામાં આવશે

Karnavati 24 News
Translate »