Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ શહેરમાં 62 હજાર મકાનો વેચાયા વિનાના, મુંબઈમાં અઢી લાખ જાણો અન્ય શહેરોની સ્થિતિ

એક બાજુ શહેરમાં રિયલ એસ્ટેટ માર્કેટ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં મકાન બની ગયા બાદ વેચાવાના ઘણા બાકી જ છે. કેમ કે, મકાનો ઝડપી બનવાની પ્રક્રિયા અમદાવાદમાં ખૂબ જ છે. લેટેસ્ટ રીપોર્ટ આ પહેલા આવ્યો હતો તેમાં અમદાવાદ મુંબઈની સરખામણીએ પણ મોંઘુ રીયલ એસ્ટેટમાં મકાનોમાં બની રહ્યું છે.
અેટલે કે માર્કેટ ત્યાં બુસ્ટ જોવામળી રહ્યું છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો ભાવની દ્રષ્ટીએ મુંબઈના ભાવ વધુ છે.
પ્રાેપટાઈગરના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર અમદાવાદ શહેરમાં અત્યારે 62 હજાર મકાનો વેચાયા વિનાના જ પડી રહ્યા છે. જેથી આ મકાનો વેચાતા ઘણો સમય લાગી શકે છે. કેમ કે, જ્યાં જુઓ ત્યાં સ્કીમો બની રહી છે જેની સામે ભાવ વધુ હોવાથી લોકોમાં લેવામાં થોડો વિલંબ પણ થઈ રહ્યો છે.
જ્યારે પ્રાેપટાઈગરના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર બીજી તરફ મુંબઈ શહેરમાં સૌથી વધુ 2.55 લાખ મકાનો વેચાયા વિનાના એમનેમ જ પડી રહ્યા છે. પૂણેમાં 1.18 લાખ, હૈદરાબાદમાં 73 હજાર જ્યારે બેગલુરુમાં 65 હજાર મકાનો વેચાયા વિનાના જ પડી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ રીયલ એસ્ટેટમાં વિવિધ શહેરોમાં જોવા મળી રહી છે.

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં અચાનક બુસ્ટર આવવાનું કારણ એ પણ છે કે લોકોને સરળતાથી ઓછા વ્યાજ દરથી લોન મળી રહી છે. એક સમયે હોમ લોન રેટ 12 ટકા આસપાસ ચાલતા હતા ત્યારે અત્યારે કરતાં અડધા ચાલી રહ્યા છે જેના કારણે લોકોનો ઝુકાવ રિયલ એસ્ટેટ પર વધે છે કેમ કે ઓછા વ્યાજ પ્રમાણે લોન મળી રહે છે અને સામે હપ્તો ખૂબ ઓછો આવતો હોય છે એના કારણે લોકો 40 લાખથી વધુ કિંમતની પ્રોપર્ટી ઉપર વધારે ખરીદી રહ્યા છે. પરંતુ મકાનો વઘુ બનતા કેટલાક મકાનો પડી રહ્યા છે. અન્ય શહેરોની સરખામણી આ આંકડો ખૂબજ ઓછો છે.

संबंधित पोस्ट

સીબીઆઇ કોર્ટે યુઆઇઆઇસીએલ, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને કુલ રૂ. 5.91 કરોડનો દંડ અને 5 વર્ષની સજા ફટકારી

Gujarat Desk

રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસનો ‘GP – DRASTI’ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે: શ્રી વિકાસ સહાય

Gujarat Desk

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા અમદાવાદમાં ‘ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન’ વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવનું આયોજન

Gujarat Desk

સુરત જિલ્લાના પલસાણાના સોયાની ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના : લકઝરી ચાલકે તુફાન જીપને અડફેટે લીધી : બે ઇજાગ્રસ્ત

Karnavati 24 News

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

Karnavati 24 News

ચૈતન્ય સ્કૂલ લેકાવાડા ગાંધીનગર મુકામે સ્વામી વિવેકાનંદની 162 મી જન્મ જયંતી નિમિત્તે મેરેથોન (મીની) વોક – દોડ યોજાઈ

Gujarat Desk
Translate »