કોરોનાની રફતાર અમદાવાદમાં ધીમી પડતા જાણે ગુજરાતમાં પણ કોરોના સમી ગયો હોય તેમ લાગી રહ્યું છે પરંતુ ગુજરાતમાં અમદાવાદ એ એપી સેન્ટર રહ્યું છે. કેમકે 40થી 50 ટકા કેસો ગુજરાતની સરખામણી એ માત્ર અમદાવાદ શહેરની અંદર જ નોંધાતા હતા, ત્યારે અમદાવાદમાં કોરોના કેસોનો આંક ગઈ કાલે 10 હતો અને રાજ્યમાં કોરોનાના 11 કેસો હતા જેથી તેમાંના 10 કેસો તો અમદાવાદ શહેરના છે. કેસો નધીને ડબલ ડીજીટ એ પહોચ્યો છે.
રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં કોરોનાના સૌથી વધુ 24 કલાકમાં 10 કેસો અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે વડોદરામાં 1 કેસ નોંધાયો હતો. તેનાથી વધુ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી. સૌથી સારી વાત એ છે કે, એક પણ દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું નથી. બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુ કોરોના દર્દીઓ ના બીજી અને ત્રીજી લહેરમાં નોંધાયા છે ત્યારે એક પણ દર્દીનું મૃત્યુ છેલ્લા 24 કલાકમા થયુ નહોતું અમદાવાદ 3 દર્દીઓ સાજો થયા હતા.
5 મહિનાથી પહેલા કોરોનાની બીજી લહેર બાદ કેસો એકદમ શાંત થઇ ગયા હતા ત્યારે ત્રીજી લહેરમાં કેસો વધ્યા હતા પરંતુ અમદાવાદમાં આટલા કેસો નોંધાતા ચિંતા વધી જેમાં એક તો સ્કૂલનો વિદ્યાર્થી અગાઉ કોરોના પોઝિટીવ આવતા સ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યારે વધુ ચિંતાજનક કોઈ પણ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી નથી.