શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું તેવી જાણકારી સામે આવી રહી છે. એટલું જ નહીં કોમી માનસિકતા ધરાવતાને ખાસ એલર્ટ અપાયું હતું. શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી.
સ્ટેટ આઈબીએ આની પહેલા એલર્ટ રામનવમીમાં આપ્યું હતું. હિંમતગરમાં સ્ટેટ આઈબીએ આ એલર્ટ આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. અગાઉ રાયોટીંગના બનાવો ખંતમાં પણ બન્યા છે. કોમી અસામાજિક તત્વો દ્વારા અનિચ્છનીય બનાવ બની શકે છે. તે વાતને લઈને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ શોભાયાત્રા નિકળી હતી. ચે છતાં પણ હિંસા ફેલાઈ હતી.
ખંભાતમાં પણ આ પ્રકારે બનાવો બનાવ્યા હતા. પૂર્વ કાવતરુ આ ઘડવામાં આવ્યું હતું, સ્ટેટ આઈબીએ પણ એલર્ટ જેથી પોલીસની પણ આ કામમાં શોભાયાત્રામાં ઢીલાસ કહી શકાય છે. કેમ કે જો પહેલાથી જ એલર્ટ આપવામાં આ્વ્યું હોય તો આ પ્રકારનો બનાવ શા માટે અને કેવી રીતે બન્યો તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને હિંમતનગરની અંદર એ બાદ પણ સોમવારે છમકલા ચાલું રહ્યા હતા જેના કારણે અનેક લોકોએ ત્યાંથી હિજરત કરી છે. જેમાં ખાસ કરીને જાણવા મળેલી જાણકારી મુજબ 50 જેટલા લોકોે દ્વારા હીજરત કરાઈ છે.