Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત એટીએસે ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી



શંકાસ્પદ વ્યક્તિ પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા; સુરક્ષા એજન્સીઓએ ફરીદાબાદમાં હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કર્યા 

(જી.એન.એસ) 3

ગુજરાત એટીએસના અધિકારીઓ અને ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે જેના પર આતંકવાદી સંગઠનો સાથે જોડાણ હોવાની શંકા છે. શંકાસ્પદ પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા, સુરક્ષા એજન્સીઓએ ફરીદાબાદમાં હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કર્યા હતા. તપાસમાં રામ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું બહાર આવ્યું. અબ્દુલ રહેમાન યુપીનો રહેવાસી છે, જેની રવિવારે (02 માર્ચ, 2025) ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS શંકાસ્પદ વ્યક્તિને ગુજરાત લઈ ગઈ અને તેની પૂછપરછ ચાલુ છે. રેડિકલ સામગ્રી પણ મળી આવી છે, જે આતંકવાદી ગતિવિધિઓની પુષ્ટિ કરી શકે છે.

આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ રહેમાન ISI ના સંપર્કમાં હતો અને અનેક જમાતો સાથે સંકળાયેલો હતો. તે ફૈઝાબાદમાં મટનની દુકાન ચલાવતો હતો અને ઓટો ડ્રાઇવર તરીકે પણ કામ કરતો હતો. ષડયંત્રના ભાગ રૂપે, તેણે અયોધ્યામાં રામ મંદિરની ઘણી વખત રેકી કરી અને બધી માહિતી પાકિસ્તાનની ISI સાથે શેર કરી. અબ્દુલ ફૈઝાબાદથી ટ્રેન દ્વારા ફરીદાબાદ પહોંચ્યો અને એક હેન્ડલર પાસેથી હેન્ડ ગ્રેનેડ લીધા, જેની સાથે તે અયોધ્યા પાછો જવાનો હતો.

તેમજ કેન્દ્રીય એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે ગુજરાત એટીએસ અને ફરીદાબાદ એસટીએફએ તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ફરીદાબાદમાં છુપાયેલા હથિયારોની માહિતી પણ સામે આવી હતી. આ સમય દરમિયાન, વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી અને કોઈપણ નાગરિકને આવવા-જવાની મંજૂરી નહોતી.

संबंधित पोस्ट

રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

Gujarat Desk

જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા લાલવાડી આવાસ કોલોનીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી

Karnavati 24 News

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

Karnavati 24 News

મેરઠમાં બદમાશોએ ટોલ પર એમ્બ્યુલન્સ તોડી, મારપીટ કરી, પોલીસ જોતી રહી

Karnavati 24 News

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

Admin

સ્માર્ટ ફોન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૫૩૨ ખેડૂતોને રૂ. ૬૫ લાખથી વધુની સહાય ચૂકવાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

Gujarat Desk
Translate »