Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગર રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપર કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા ઉપર પોલીસે ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. તેને દૂર કરવાની માંગ સાથે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્

જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

જામનગર રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપર કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા ઉપર પોલીસે ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. તેને દૂર કરવાની માંગ સાથે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ-જામનગરના નેજા હેઠળ રેલી કાઢ્યા પછી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલા આવેદન પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષામાં ગોટાળા થઈ રહ્યા છે. પરીક્ષા પહેલા જ પેપર લીક અંગે યુવરાજસિંહ જાડેજા કૌભાંડ ઉજાગર કર્યા હતાં. તેમણે ઊઠાવેલ અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કની અનેક ભરતી પરીક્ષા રદ્ કરવી પડી હતી. આમ સતત લડત આપતા યુવરાજસિંહ જાડેજા સામે લગાવેલી હત્યા પ્રયાસ સહિતના ગંભીર ગુનાની કલમો દૂર કરવી જોઈએ અને તેમને મુક્ત કરવામાં આવે. આ મુદ્દે જરૃર પડ્યે વધુ આક્રમક લડત આપવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે. જામનગરમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ જામનગર રાજપૂત સેવા સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, રાજપૂત કરણી સેના, રાજપૂત યુવા સંગઠન, જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, મહાકાલ સેના સહિતની સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતાં. જેમાં કર્ણદેવસિંહ જાડેજા, દોલુભા જાડેજા, આર.ડી. જાડેજા, જયપાલસિંહ ઝાલા, રૃષિરાજસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, દિગુભા જાડેજા, કાંતુભા જાડેજા, ગોવુભા જાડેજા સહિતનાઓ જોડાયા હતાં.

संबंधित पोस्ट

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાતે નેશનલ ડિફેન્સ કોલેજનું પ્રતિનિધિમંડળ

Gujarat Desk

કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો

Gujarat Desk

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણેય નાં ક્ષય (ટીબી) નાં દર્દીઓ ને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી

Karnavati 24 News

પી.ડી.પી.યુ ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનું બેટરી ટેસ્ટ આયોજન

Gujarat Desk
Translate »