આજે 11:00 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ વિધાનસભાગૃહમાં સંબોધન કરશે. ત્યારે તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની આપી સૂચના આપવામાં આવી છે.
ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ રાષ્ટ્રપતિ આ રીતે ગુજરાતમાં વિધાનસભામાં સંબોધન કરશે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે એક કલાક 11 થી 1એ કલાક દરમિયાન વિધાનસભા ગૃહને સંબોધિત કરશે. ગૃહની અંદર આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખો આ સંબોધન કરશે.
લોકશાહી, બંધારણ તેમજ નૈતિક મૂલ્યો અને મૂળભૂત ફરજોને લઇને તેઓ વિધાનસભા ગૃહમાં એક કલાક વાત કરશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં ગાંધીનગર પહોંચશે.
ગઈકાલે અધ્યક્ષ દ્વારા વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની જાહેરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિધાનસભાગૃહમાં સંબોધનને લઈને કરવામાં આવી હતી. આજે 11:00 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ વિધાનસભાગૃહમાં સંબોધન કરશે. ત્યારે તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની આપી સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રપતિને સંબોધન ના થાય ત્યાં સુધી કોઈ વ્યવસ્થા છોડશે નહીં. તેવી સૂચના અધ્યક્ષ તરફથી અપાઈ હતી. રાષ્ટ્રપતિના કલાકના સંબોધન બાદ 1 વાગે બેઠક શરૂ થશે. બપોર બાદ આવતી આજે એક જ બેઠક યોજાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગર બાદ રાષ્ટ્રપતિ દ્વારકા અને જામનગરમાં પ્રવાસની પણ મુલાકાત કરવાના છે. જો કે આ પહેલા તેમનો સૌરાષ્ટ્ર નો જ પ્રવાસ હતો પરંતુ મુખ્યમંત્રીએ તેમણે ગુજરાત વિધાનસભા ના ચાલુ સત્રમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું