દિલીપભાઇની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાનો પ્રયાસ કરાયો છે. જે ખરેખર સમાજને નુકશાન પહાેંચાડવાનો પ્રયાસ છે. હકિકતમા આબંને આગેવાનો એ કરેલી વાતો માત્ર બકવાસ છે હાલ વિશ્વની સાૈથી માેટી સહકારી સંસ્થા ઇફકાેના ચેરમેન છે
અમરેલી ના પનોતા પુત્ર અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ
ખાેડલધામના પ્રણેતા નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે દિલીપભાઇ સંઘાણીએ કરેલા નિવેદન બાદ અલ્પેશ કથીરીયા અને ગાેપાલ ઇટાલીયાએ સંઘાણી પર જુદાજુદા આક્ષેપો કરતા અમરેલી જિલ્લામા તેના ઘેરા પડઘા પડયા છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાએ આજે જણાવ્યું હતુ કે પહેલા કથીરીયા અને ઇટાલીયાએ પોતાનુ ઘર સંભાળવાની જરૂર છે.
તેમણે જણાવ્યું હતુ કે આ બંને આગેવાનો દ્વારા દિલીપભાઇની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડવાનો પ્રયાસ કરાયો છે. જે ખરેખર સમાજને નુકશાન પહાેંચાડવાનો પ્રયાસ છે. હકિકતમા આબંને આગેવાનો એ કરેલી વાતો માત્ર બકવાસ છે. દિલીપભાઇ સંઘાણી છેલ્લા ત્રણ દાયકાથી આ વિસ્તારના જનપ્રતિનિધી છે. એટલુ જ નહી 1995થી મધ્યસ્થ બેંકના ચેરમેન છે.
ગુજકાેમાસાેલ, નાફેડ, નાફસ્કાેબ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને હાલ વિશ્વની સાૈથી માેટી સહકારી સંસ્થા ઇફકાેના ચેરમેન છે. કુદરતી આ પદાઓથી લઇ રાજય સરકારમા મંત્રી હતા ત્યારે પણ તેમણે લાેક વિકાસના અસાધારણ કામાે કર્યા છે. આપના નેતાઓ માત્ર સસ્તી પ્રસિધ્ધી માટે તેમની પ્રતિષ્ઠાને નુકશાન કરી રહ્યાં છે.