લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક અને ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા , કરાવવા કે આવા લગ્ન કરવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે . જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર – કન્યાના માતા પિતા , વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર મહારાજ તેમજ કેટરર્સ , મંડપ સર્વિસવાળાસ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર વગેરે તમામ મદદગારી કરનાર ઈસમો સામે ફોજદારી ગુનો બને છે . ૨૧ મી સદીમાં પણ હજુ કેટલાક કુરિવાજો જોવા મળે છે જેમાં આજેય કચ્છના કેટલાક વિસ્તારોમાં બાળલગ્ન થાય છે . પછાત વર્ગની સાથે વિકસિત વિસ્તાર કે શહેરમાં પણ બાળલગ્નની પ્રથા હજુ જોવા મળે છે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં કચ્છ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ૪૮ જેટલા બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે . અંગેની આ મુજબ , છોકરીની વર્ષ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતા ઓછી હોવા છતાં લગ્ન કરવામાં આવે , ત્યારે તે બાળલગ્નની વ્યાખ્યામાં આવે છે . જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડિયાના જણાવ્યા અનુસાર , કચ્છ જિલ્લામાં છેલ્લા ૪ વર્ષમાં બાળલગ્ન માટેની કુલ ૫૮ અરજીઓ મળી હતી . જેમાં ૪૫ જગ્યાએ તપાસ દરમ્યાન બાળલગ્ન થવાના હોઈ અટકાવવામાં આવ્યા છે . જ્યારે ૬ અરજી તો તપાસ દરમિયાન ખોટી હોવાનું ખુલ્યું હતું તેમજ ૭ કિસ્સામાં કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે . ખાસ કરીને પૂર્વ કચ્છમાં અંજાર , રાપર અને ભચાઉ વિસ્તારમાં બાળલગ્નની ફરિયાદો મળી હોવાનું જણાવ્યું હતું.