Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ડ્રોનની મદદથી 11 ખેતરમાં ખેતીની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ,બાયડના વાઘવલ્લા ગામમાં ગાંજાની વ્યાપક ખેતી`

અરવલ્લી જીલ્લા એલસીબી,એસઓજી અને બાયડ પોલીસના બે દિવસ થી વાઘવલ્લા ગામમાં ધામા નાખ્યા
વાઘવલ્લા ગામના ખેતરો ખૂંદતી જીલ્લા પોલીસ

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે અરવલ્લી,મહીસાગર અને ખેડા જીલ્લાની સરહદ પર આવેલા બાયડ તાલુકાના વાઘવલ્લા ગામમાં 11 ખેતરમાં ખેતીની આડમાં થતી ગાંજાની ખેતીનો પોલીસે પર્દાફાશ કર્યો છે બે દિવસથી જીલ્લા પોલીસતંત્ર વાઘવલ્લા ગામના ખેતરોમાં પડાવ નાખી ડ્રોનની મદદથી વિપુલ પ્રમાણમાં ગાંજાની ખેતી ઝડપી પાડી લાખ્ખો રૂપિયાના ગાંજાના છોડ ઉલેચી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લા પોલીસને વાઘવલ્લા ગામમાં કેટલાક ખેડૂતોએ ગાંજાની ખેતી કરી હોવાની બાતમી મળતા જીલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધર્યું હતું એક ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાયા પછી ધીરે ધીરે વાઘવલ્લા કેટલાક ખેતરોમાં પાક વચ્ચે ગાંજો લહેરાતો જોવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી અને વધુ પોલીસ કાફલો મંગાવી લઇ ખેતરોની આસપાસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો

વાઘવલ્લા ગામમાં એક પછી એક ખેતરમાં ગાંજાની ખેતી જોવા મળતા પોલીસે ડ્રોનની મદદથી ખેતરોનું સર્ચ ઓપેરેશન હાથધરાતા અધધ 11 જેટલા ખેતરમાંથી ખેતી પાકની વચ્ચે ગાંજાના છોડ મળી આવતા પોલીસે તમામ ખેતરોમાંથી ગાંજાની લણણી શરૂ કરી દીધી છે પોલીસ દ્વારા ગાંજાના ખેતરોના માલની સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોડી સાંજે કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે અને એ સમયે જ કેટલાનો મુદ્દામાલ એ સમગ્ર હકીકત જાણી શકાશે. પરંતુ 11 જેટલા મોટા ખેતરોમાં ઝડપાયેલો ગાંજો લાખો રૂપિયાની કિંમતનો થવાની શક્યતા રહેલી છે

संबंधित पोस्ट

ગરેજ ગામે વાછરડી આપવાની ના પાડતાં મહિલાને માર માર્યો !

Karnavati 24 News

જસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા.

Karnavati 24 News

पत्नि का पैर पति को छू गया तो 75 साल के बुजुर्ग ने की पत्नी की हत्या

Admin

abc

Karnavati 24 News

સંતાન નહીં થતાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ કરી હતી આત્મહત્યા : દોઢ મહિના બાદ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Karnavati 24 News

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાનું બિહામણું સ્વરૂપ: આજે બે બાળકો અને એક યુવતી સહિત પાંચના મોતથી ભયનો માહોલ

Karnavati 24 News