Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલ્યાણ ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

સિદ્ધપુર તાલુકાનાં કલાણા ગામે આવેલી એક દુકાનમાંથી કોઈ અજાણ્યો શખ્સ ચાંદીનાં દાગીના અને ચાંદીની મુર્તિઓ મળી કુલે રૂ 26000ની મતાની ચોરી કરી લઈ ગયો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહેરનાં રાણીની વાવ જવાનાં માર્ગે આવેલી સૃષ્ટીવિલા સોસાયટીમાં રહેતા અને સિદ્ધપુર નાં કલ્યાણ ગામે દુકાન ધરાવતા કુણાલભાઇ હર્ષદભાઇ રામી છેલ્લા ત્રણેક વર્ષથી સિદ્ધપુરનાં કલ્યાણ ગામે ભાડેથી દુકાન રાખીને અહી પાટણથી ચાંદીનાં તૈયાર દાગીના લાવી વેચવાનો વેપાર કરે છે. તેમની દુકાનમાંથી ગત તા. 16મી અને તા. 17મી દરમ્યાન કોઈ શખ્સ દુકાનનાં પાછલા ભાગમાં આવેલા લાકડાનાં દરવાજાને તોડીને દુકાનમાં પ્રવેશ્યો હતો. અને અંદર દુકાનનાં ટેબલનાં ખાનામાં મુકેલા ચાંદીનાં દાગીના જેવા કે મંગળસૂત્ર, વિંટી ઓ અને અન્ય દાગીનાઓ તથા ચાંદીની મૂર્તિ મળી કુલ નંગ-110ની કિંમત રૂ. 26000ની મતાની ચોરી કરી ગયો હતો. જે અંગેની તેમને જે તે વખતે કોઈએ ફોન કરતાં તેઓ દુકાને દોડી ગયા હતા. અને અત્યાર સુધી પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ તેમને આ ચોરી અંગે કોઈ જાણકારી ન મળતાં તેમણે ફરીયાદે નોંધાવી હતી. બનાવની તપાસ ચાલી રહી છે.

संबंधित पोस्ट

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

Karnavati 24 News

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ!

Karnavati 24 News

જુનાગઢ માંથી લાખો નું ઉઠમણું કરનાર દંપતી સામે વધુ 15 ફરિયાદો મળી

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ દ્વારા નકલી ડિગ્રી વેંચતાની કરી ધરપકડ, 50 હજારમાં વેંચતા હતા નકલી ડિગ્રી

Karnavati 24 News

दो माह पूर्व उदयपुर में हुई 24 किलो सोने की लूट के दो आरोपी गिरफ्तार

Admin

डिप्टी सीएम की जूनियर डाक्टरों को चेतावनी,मरीजों-तीमारदारों से दुर्व्यवहार किया तो निरस्त होगी डिग्री

Admin