Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ : મૌલાના અરશદ મદનીએ કહ્યું, કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ 49 જેટલા દોષિતોને સજા હેતુથી ચુકાદો સંભળાવતા કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા સંભડાવી છે.
કોર્ટની કાર્યવાહી આ પ્રકારના ગુનામાં સરાહનીય છે. આ એક ઐતિહાસિક ચુકાદો છે.

પરંતુ આ ચુકાદા સામે જમિયત ઉલેમા હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ આ ચુકાદાને લઇને કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું અમે આ સજા સામે હાઇકોર્ટમાં જઈશું અને કાયદાકીય લડતને આગળ પણ જાળવી રાખીશું તેઓ હુંકાર તેમને કર્યો છે.

અમને વિશ્વાસ છે કે હાઇકોર્ટમાંથી અમને યોગ્ય ન્યાય મળશે અગાઉ પણ નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કેસ સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જેથી અમે આ ચુકાદાને પણ પડકારીશું. તેવું તેમને જણાવ્યું હતું.

આ ચુકાદાને સુનાવણીના 30 દિવસમાં હાઇકોર્ટમાં પડકારી શકે છે અને જો આર્થિક મુશ્કેલીને કારણે આરોપીઓ ચુકાદાને હાઈકોર્ટમાં ના પડકારે તો તેમને લીગલ એડ દ્વારા વકીલ પુરા પાડવામાં આવે છે. ઉપરાંત આરોપીઓ જાતે સજા અંગે રજૂઆત કરી શકે છે. સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો હાઈ કોર્ટમાં ચુકાદાને પડકારતા સજા પામેલ આરોપીઓને સાંભળવામાં આવે છે. હાઇકોર્ટે એમાં રૂલ જાહેર કરી શકે છે અને તેની સુનાવણી ત્યાર બાદ હાથ ધરે છે.

संबंधित पोस्ट

કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં કામગીરી જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

સફેદ રણ ખાતે સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના સંગમ સમો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

Gujarat Desk

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

10 ફેબ્રુઆરી, વિશ્વ કઠોળ દિવસ; ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને 2,47,789 ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી છે

Gujarat Desk

આરોહ ફાઉન્ડેશન દ્વારા “નાણાંકીય સાક્ષરતા” તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

Translate »