Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશરાજકારણસ્થાનિક સમાચાર

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદે હાલમાં સાંસદમાં રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં નવું બજેટ દરેક વર્ગના લોકોને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે દેશભરમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં ૧.૫૦ લાખ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
… આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં હાલ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા ઉપસ્થિત છે. ત્યારે તેઓએ હાલમાં રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨ ના બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશ પ્રગતીના પંથે છે. નાણામંત્રી નિર્મળા સીતારામને રજૂ કરેલ બજેટ દેશના દરેક વર્ગને આવરી લેતા અને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે આ અગાઉનુ બજેટ જે ૨૮ લાખ કરોડનું હતુ તે ૩૫% ના વધારા સાથે હાલ ૩૯ લાખ કરોડનું થયુ છે. નેશનલ આયુસ મીશન અંતર્ગત દેશભરમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં નવા ૧.૫૦ લાખ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવશે. જેમાં આયુષને લગતા સેન્ટરો પણ બનાવાશે જેથી લોકોને તબીબી સારવાર માટે સુવિધાનો વધારો થશે તેમ જણાવ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, નરેશભાઈ કૈલા, હાર્દિકભાઈ ટમાલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

Karnavati 24 News

મહારાષ્ટ્રમાં અક્ષય તૃતીયાની ઉજવણી: પૂણેના દગડુશેઠ ગણપતિ મંદિરને 11 હજાર કેરીઓ, 500 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું મહાલક્ષ્મી મંદિર

સુરત સોનામાં ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ પડ્યો ઊંધો,DRI વિંગે રેડ કરીને ૮ કરોડનું સોનુ પકડી પાડ્યું.!

Karnavati 24 News

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

રિઝર્વ બેન્ક દ્વારા દેશની પ્રથમ ડીજીટલ કરન્સી ઇ-રૂપી લોન્ચ કરી

Admin

Neque adfaf df porro quisquam est qui dolorem ipsum quia dolor sit amet, consectetur, adipisci velit…