Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશરાજકારણસ્થાનિક સમાચાર

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદે હાલમાં સાંસદમાં રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં નવું બજેટ દરેક વર્ગના લોકોને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે દેશભરમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં ૧.૫૦ લાખ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
… આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં હાલ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા ઉપસ્થિત છે. ત્યારે તેઓએ હાલમાં રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨ ના બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશ પ્રગતીના પંથે છે. નાણામંત્રી નિર્મળા સીતારામને રજૂ કરેલ બજેટ દેશના દરેક વર્ગને આવરી લેતા અને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે આ અગાઉનુ બજેટ જે ૨૮ લાખ કરોડનું હતુ તે ૩૫% ના વધારા સાથે હાલ ૩૯ લાખ કરોડનું થયુ છે. નેશનલ આયુસ મીશન અંતર્ગત દેશભરમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં નવા ૧.૫૦ લાખ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવશે. જેમાં આયુષને લગતા સેન્ટરો પણ બનાવાશે જેથી લોકોને તબીબી સારવાર માટે સુવિધાનો વધારો થશે તેમ જણાવ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, નરેશભાઈ કૈલા, હાર્દિકભાઈ ટમાલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News

ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા: ઘટનાની ફૂટેજ વાયરલ

Karnavati 24 News

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

પાટણના ભાજપના ઉમેદવારે બાળાઓને કુમકુમ તીલક કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

Admin

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

Karnavati 24 News

મોદી સરકારના 8 વર્ષ: પહેલીવાર સંસદ પહોંચ્યા ત્યારે સીડીઓ ચુંબન કરી,

Karnavati 24 News