Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે

આજે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં બીજા 10 ઉમેદવાર જાહેર થયા છે. આમ આદમી પાર્ટીએ કુલ 29 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ગોપાલ ઇટાલિયાએ AAPના ઉમેદવાર જાહેર કરતાં જણાવ્યું હતું કે કચ્છ માંડવીથી કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા CA કૈલાસ ગઢવી, અમદાવાદના દાણીલીમડામાંથી દિનેશ કાપડિયા, ખેડબ્રહ્મામાંથી બિપિન ગામેતી, ડીસાથી ડો. રમેશ પટેલ, પાટણથી લાલેશ પટેલ, વેજલપુરથી કલ્પેશ પટેલ (ભોલાભાઈ), સાવલીથી વિજય ચાવડા, નાંદોદથી પ્રફુલ વસાવા, પોરબંદરથી જીવન જુંગી અને નિઝરથી અરવિંદ ગામીતને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.

કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે રોજગાર, ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ વગેરેને ગેરંટી આપી છે. કેજરીવાલ કહે છે, એ કરીને બતાવે છે, જેથી વિશ્વાસ લોકોમાં વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર પાર્ટી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે જાહેર કરેલા 10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે.

ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે

અગાઉ ઇટાલિયાએ કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે, પછી ભાજપ જોડે બેસી જશે.

ઈટાલિયા-ઈસુદાન પણ ચૂંટણી લડશે

અગાઉ ઈટાલિયાના જણાવ્યા પ્રમાણે, તે પોતે અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે, એ દરમિયાન ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકાય, તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલું લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે, પછી ભાજપ જોડે બેસી જશે.

संबंधित पोस्ट

 જૂનાગઢ જિલ્લામાં બહુમત ગ્રામ પંચાયતો પર ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Karnavati 24 News

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

Karnavati 24 News

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

Karnavati 24 News

કોંગ્રેસના રાજકોટના આ મોટો નેતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા, કરાવી રહ્યા છે સર્વે

Karnavati 24 News

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

Karnavati 24 News

ભારત જોડો યાત્રાને અધવચ્ચે છોડીને ED સમક્ષ હાજર થયા ડીકે શિવકુમાર, નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ

Translate »