Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે

આજે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં બીજા 10 ઉમેદવાર જાહેર થયા છે. આમ આદમી પાર્ટીએ કુલ 29 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ગોપાલ ઇટાલિયાએ AAPના ઉમેદવાર જાહેર કરતાં જણાવ્યું હતું કે કચ્છ માંડવીથી કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા CA કૈલાસ ગઢવી, અમદાવાદના દાણીલીમડામાંથી દિનેશ કાપડિયા, ખેડબ્રહ્મામાંથી બિપિન ગામેતી, ડીસાથી ડો. રમેશ પટેલ, પાટણથી લાલેશ પટેલ, વેજલપુરથી કલ્પેશ પટેલ (ભોલાભાઈ), સાવલીથી વિજય ચાવડા, નાંદોદથી પ્રફુલ વસાવા, પોરબંદરથી જીવન જુંગી અને નિઝરથી અરવિંદ ગામીતને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.

કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે રોજગાર, ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ વગેરેને ગેરંટી આપી છે. કેજરીવાલ કહે છે, એ કરીને બતાવે છે, જેથી વિશ્વાસ લોકોમાં વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર પાર્ટી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે જાહેર કરેલા 10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે.

ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે

અગાઉ ઇટાલિયાએ કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે, પછી ભાજપ જોડે બેસી જશે.

ઈટાલિયા-ઈસુદાન પણ ચૂંટણી લડશે

અગાઉ ઈટાલિયાના જણાવ્યા પ્રમાણે, તે પોતે અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે, એ દરમિયાન ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકાય, તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલું લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે, પછી ભાજપ જોડે બેસી જશે.

संबंधित पोस्ट

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ, ACBના દરોડામાં મળી લાખોની રોકડ અને ગેરકાયદેસર હથિયાર

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

હાર્દિકે કોંગ્રેસ છોડી દીધીઃ સોનિયાને પત્ર લખ્યો

Karnavati 24 News

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ગાંધીનગર જિલ્લામાં મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ-સરનામાં વગરનાં ચૂંટણીલક્ષી ચોપાનિયાં અને ભીંતપત્રો છાપવા કે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ

Karnavati 24 News