Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશસ્થાનિક સમાચાર

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

ખોડલધામ દેશનું પ્રથમ મંદિર છે જ્યા ધર્મ ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે. લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય શોકના એલાનથી ખોડલધામ મંદિરના દ્વાર પર ફરકી રહેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.

ખોડલધામમાં અડધી કાઠીએ ફરકાવેલો રાષ્ટ્રધ્વજ.

ખોડલધામ દેશનું પ્રથમ મંદિર જ્યાં ધર્મ ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે.ભારત રત્ન અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું આજે નિધન થતા દેશ આખા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસના રાષ્ટ્રીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે રાષ્ટ્રીય શોક જાહેર થતા તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. જેને લઈને લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક ખોડલધામ મંદિરના દ્વાર પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેશનું પ્રથમ ખોડલધામ મંદિર

ખોડલધામમાં ધર્મની ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ વર્ષના 365 દિવસ ફરકી રહ્યો છે. ધર્મની ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેશનું પ્રથમ મંદિર હોય તો તે ખોડલધામ છે. ખોડલધામમાં દર વર્ષે સ્વતંત્રા દિવસ અને પ્રજાસત્તાક દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય શોકમાં સામેલ થઈને રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. બે દિવસ સુધી ખોડલધામમાં રાષ્ટ્રીયધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

संबंधित पोस्ट

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

અમદાવાદના પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; 100 કિલોથી વધુ સોનુ જપ્ત

Gujarat Desk

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા

Gujarat Desk

 દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 161 કેસ, 42 દર્દી સ્વસ્થ થયા

Karnavati 24 News

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

जी-20 की भारत के सभी प्रदेशों में 200 मीटिंग्स होंगी: प्रदेश नीति के साथ प्रदेश नीति बढ़ाना मुख्य उद्देश्य

Admin
Translate »