Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશસ્થાનિક સમાચાર

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

ખોડલધામ દેશનું પ્રથમ મંદિર છે જ્યા ધર્મ ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે. લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય શોકના એલાનથી ખોડલધામ મંદિરના દ્વાર પર ફરકી રહેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.

ખોડલધામમાં અડધી કાઠીએ ફરકાવેલો રાષ્ટ્રધ્વજ.

ખોડલધામ દેશનું પ્રથમ મંદિર જ્યાં ધર્મ ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે.ભારત રત્ન અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું આજે નિધન થતા દેશ આખા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસના રાષ્ટ્રીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે રાષ્ટ્રીય શોક જાહેર થતા તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. જેને લઈને લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક ખોડલધામ મંદિરના દ્વાર પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેશનું પ્રથમ ખોડલધામ મંદિર

ખોડલધામમાં ધર્મની ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ વર્ષના 365 દિવસ ફરકી રહ્યો છે. ધર્મની ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેશનું પ્રથમ મંદિર હોય તો તે ખોડલધામ છે. ખોડલધામમાં દર વર્ષે સ્વતંત્રા દિવસ અને પ્રજાસત્તાક દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય શોકમાં સામેલ થઈને રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. બે દિવસ સુધી ખોડલધામમાં રાષ્ટ્રીયધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

संबंधित पोस्ट

બાળકો ‘ગ્રાની’ને ઓનલાઈન વળગી રહે છે: MP માં 20 દિવસમાં 4 માતાપિતા મનોચિકિત્સકની મુલાકાત લે છે, A થી Z શીખો

Karnavati 24 News

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

Karnavati 24 News

જંબુસરમાં મોડી રાતે બે મકાનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી

Karnavati 24 News

પાટણ ની ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં અભિજ્ઞાન શાંકુન્તલ પુસ્તક વિશે પ્રવચન યોજાયું

Admin

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે વિધર્મી યુવક દ્વારા એક હિન્દુ યુવતીને ભગાડી લઈ જતાં આજે બીજા દિવસે પણ ગરબાડા સહિત ગાંગરડી તેમજ આસપાસના વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતાં ત્યારે બીજા દિવસે બનાવ

Karnavati 24 News

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

Karnavati 24 News