Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 161 કેસ, 42 દર્દી સ્વસ્થ થયા

દેશમાં ઓમિક્રૉનના અત્યાર સુધી 161 દર્દી સામે આવ્યા છે, આ કેસ 12 રાજ્યમાંથી મળ્યા છે. ઓમિક્રૉનથી 42 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે. ઓમિક્રૉનથી સ્વસ્થ થનારા સૌથી વધુ દર્દી મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના છે.

હવે ઓમિક્રૉનનો કોઇ પણ દર્દી ગંભીર નથી. મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 54 કેસ સામે આવ્યા છે. તે બાદ બીજા સ્થાન પર દિલ્હી (32) છે જ્યારે તેલંગાણાથી ઓમિક્રૉન વેરિએન્ટના 20 કેસ સામે આવ્યા છે.

દેશમાં અત્યાર સુધી આવ્યા ઓમિક્રૉનના કેસ

મહારાષ્ટ્ર: 54
દિલ્હી: 32
તેલંગાણા: 20
રાજસ્થાન: 17
ગુજરાત: 13
કેરળ: 11
કર્ણાટક: 08
યુપી: 02

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢ: 1

ઓમિક્રૉનને લઇને ચિંતા વચ્ચે ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં સતત કમી આવી રહી છે. ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 6,563 નવા કેસ દર્જ કરવામાં આવ્યા છે. આ આંકડો રવિવારની તુલનામાં 7.3 ટકા ઓછો છે. બીજી તરફ આ દરમિયાન 132 લોકોના સંક્રમણન કારણે મોત થયા છે. ગત 24 કલાકમાં 8,077 લોકોએ કોરોનાને માત આપી છે, આ સાથે જ કોરોનાથી સ્વસ્થ થનારાઓની સંખ્યા વધીને 3,41,87,017 થઇ ગઇ છે. ભારતમાં અત્યારે રિકવરી રેટ 98.39% છે, જે માર્ચ 2020 બાદથી સૌથી વધુ છે. સક્રિય કેસની વાત કરીએ તો આખા દેશમાં અત્યારે 82,267 સક્રિય દર્દી છે, આ સંખ્યા ગત 572 દિવસમાં સૌથી ઓછી છે.

संबंधित पोस्ट

 અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

Karnavati 24 News

સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પાણીના અભાવે લોકો પરેશાન . . . .

Admin

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News

વિશ્વ કલ્યાણ અર્થે દશેરા પર્વ પર મોડાસામાં પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.

Admin

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જીગ્નેશ કૈલા સાથે મોરબીની જૂની યાદોને વગોળી અને મોરબી સાથેની અતૂટ લાગણીને યાદ કરી હતી મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ કરી હતી મોરબીના મચ્છુ ડેમમાં રહેલા મોરબીવાસીઓના પીવાના અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી.આ ઉપરાંત મોરબીના કોરોના બાદની મોરબી વાસીઓનો સ્થિતિ અને કોરોનાની બીજી લ્હેરમાં મોરબીવાસીઓએ કરેલી વિપરીત પરિસ્થિતિ નો તાગ મેળવી મોરબી નું મનોબળ મજબૂત હોવાનું જણાવી મજબૂત મોરબીથી પણ સંબોધન કર્યું હતું.આ સિવાય મોરબીમાં વિદ્યાર્થીઓ તેમજ પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી તેની માહિતી મેળવી હતી. મોરબી ભાજપના કાર્યકરો અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી અને મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતનો પણ તાગ મેળવ્યો હતો.આ સમયે મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા ,તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ ભાઈ કૈલા અને તેની દીકરી સાથે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખાસ મુલાકાત કરી હતી જેમાં મોરબીના આગામી સમયમાં જરૂરી વિકાસના કામો માટે પણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને જીલ્લા અગ્રણી દંપતીએ રજુઆત કરી હતી.

Karnavati 24 News