Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

કોચ રાહુલ દ્રવિડ આ કારણે ટીમ ઇન્ડીયા પર ગુસ્સે ભરાયા

ટીમ ઇન્ડિયાની દક્ષિણ આફ્રિકા સામે કારમી પરાજય થતા ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ રાહુલ દ્રવિડ વધારે ગુસ્સે ભરાયા છે. જેમને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને વધુ સારો દેખાવ કરવા માટે સૂચન આપ્યું છે.

ટીમ ઇન્ડિયામાં ખાસ કરીને મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે જે ખેલાડીઓને લીધા છે તે ખેલાડીઓ યોગ્ય પરફોર્મ કરી રહ્યા નહીં હોવાનું તેમને જણાવ્યું હતું જ્યારે પરફોર્મ કરવું જોઈએ ત્યારે તેઓ નથી કરતા. જે કારણસર વન-ડે ત્રણ જીરોથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે હારી હતી. આ ઉપરાંત રાહુલ દ્રવિડે શ્રેયસ ઐયર, પંત સહિતના રમતા ખેલાડીઓને ઇશારા ઇશારામાં આ વાત કરી હતી કેમકે તેમનું વન ડે માં ખાસ પ્રદર્શન રહ્યું નહોતું. જેથી દ્રવિડે અન્ય ખેલાડીઓને પણ પરફોર્મ કરવા માટે જણાવ્યું છે.

આ ઉપરાંત ઇન્ડિયન ટીમમાં જગ્યા બનાવવી હશે તો ખેલાડીઓએ પોતાની પ્રતિભા બતાવવી પડશે. કેમકે ઇન્ડિયન પ્રીમિયર લીગની અંદર ઘણા એવા ભારતીય ખેલાડીઓ છે કે જે સારું પ્રદર્શન કરી શકે છે આ યુવા ખેલાડીઓને પણ આગામી સમયમાં ચાન્સ વધુ મળી શકે છે કેમકે જે ખેલાડીઓ અત્યારે છે તેઓ યોગ્ય પરફોર્મ આગળ જતા ન કરી શકતા રિપ્લેસ કરી શકાય છે ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં બે જીરોથી હાર થઈ હતી જ્યારે વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે વ્હાઇટવોશ કર્યો હતો જેથી રાહુલ દ્રવિડે ખેલાડીઓની કડક સૂચન કોચ તરીકે આપ્યું છે.

संबंधित पोस्ट

U19 World Cup વિજેતા ટીમ ઇન્ડિયાનો આ યુવા ક્રિકેટર ATS અધિકારીનો પુત્ર, 16 વર્ષની ઉંમરે ગુજરાત અને સૌરાષ્ટ્ર સામે સદી અને બેવડી સદીથી ધમાલ મચાવી હતી

Karnavati 24 News

દક્ષિણ આફ્રિકાને લાગ્યો ઝટકો, ટીમના સ્ટાર પ્રિટોરિયસ વર્લ્ડકપમાંથી થયો બહાર

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો પરંતુ નુકસાન અને દંડનો સામનો કરવો પડ્યો હતો

Karnavati 24 News

ખેલ મહાકુંભનો પ્રારંભ : રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો : તાલુકા કક્ષાની તથા જિલ્લા કક્ષાની રમતોમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા

Karnavati 24 News

IPL 2022: ફિટનેસ મુદ્દાઓ વચ્ચે હાર્દિક પંડ્યાને હાઝરીમાં રાખવાની સ્પર્ધા, વેસ્ટ ઈન્ડિઝ-શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયામાં જોડાવું મુશ્કેલ

Karnavati 24 News

મયંક અગ્રવાલ: ઓપનિંગ બાદ મિડલ ઓર્ડરમાં પણ નિષ્ફળ, ખાતું ખોલાવ્યા વિના બીજા બોલ પર બોલ્ડ થયો

Karnavati 24 News