Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ટીમની કેપ્ટન્સીમાં સતત બદલાવ પર સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ, તેની પાછળનું અસલી કારણ જણાવ્યુ

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક ખેલાડીઓની કેપ્ટન્સીમાં રમવા માટે ઉતરી ચુકી છે. વિરાટ કોહલી પછી પસંદગીકારોએ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં નિયમિત કેપ્ટન નિયુક્ત કર્યો છે. એમ તો ત્યારથી અત્યાર સુધી ટીમ માટે કેએલ રાહુલ, શિખર ધવન, રિષભ પંત અને હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળી ચુક્યા છે. સીરિઝ પછી ટીમની કેપ્ટન્સીમાં બ દલાવ જોવામાં આવ્યો છે જેને લઇને હવે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જવાબ આપ્યો છે.

સૌરવ ગાંગુલીએ કહ્યુ, રોહિત શર્મા હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે. તે ઘણી વધુ ક્રિકેટ રમી રહ્યો છે તો એવામાં ઇજાગ્રસ્ત થવુ શક્ય છે અને આ કારણે તેને ઇજાથી બચવા માટે બ્રેકની જરૂરત છે. આ વસ્તુનો અમને ફાયદો મળે છે. આ ઘણા નવા ખેલાડીઓને આગળ આવવાની તક આપે છે જે આ સમયે અમે પણ જોઇ રહ્યા છીએ.

છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ઘરમાં રમાયેલી સીરિઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે ઇજાગ્રસ્ત થઇને બહાર થવા પર રિષભ પંતને કેપ્ટન્સી કરવાની તક મળી હતી. આયરલેન્ડ પ્રવાસમાં હાર્દિક પંડ્યાના હાથમાં ટીમ ઇન્ડિયાની કમાન હતી. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ શિખર ધવનની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ વન ડે સીરિઝ રમવા ગઇ હતી. હવે ઝિમ્બાબ્વેમાં રમાનારી વન ડે સીરિઝમાં ફરી એક વખત લોકેશ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ, અમે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સીરિઝમાં શાનદાર જીત મેળવી હતી, ઇંગ્લેન્ડને તેના ઘરમાં હરાવવામાં સફળતા મેળવી, આ બધુ આ નવા ખેલાડીઓની ફૌજના દમ પર જ શક્ય થયુ છે. હવે ભારત પાસે 30 ખેલાડીઓની એક સારી પુલ તૈયાર થઇ ચુકી છે, જે કોઇ પણ સમયે ભારતની આંતરરાષ્ટ્રીય ટીમ માટે રમવામાં સક્ષમ છે.

संबंधित पोस्ट

ડી વિલિયર્સ આવતા વર્ષે IPLમાં જોડાશેઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટનનું સમર્થન, કહ્યું- હું ચોક્કસથી RCBનો ભાગ બનીશ,

Karnavati 24 News

એશિયા કપ માટે પસંદ ના થયા આ ત્રણ ખેલાડી, ટી-20 વર્લ્ડકપ રમવા પર ઉભા થયા સવાલ

Karnavati 24 News

ફરીદાબાદ: ગુજરાતમાં યોજાયેલી પ્રથમ ઓપન માસ્ટર્સ એથ્લેટિક સ્પર્ધામાં ફરીદાબાદના દોડવીરો ચાર ગોલ્ડ સાથે પરત ફર્યા હતા

Karnavati 24 News

IND Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ હાર બાદ શિખર ધવને કહ્યુ- 306 રનનું ટોટલ સારુ હતું પરંતુ…

Admin

વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ

Karnavati 24 News

T20 વર્લ્ડકપમાં બુમરાહનું સ્થાન લેવા માટે ત્રણ બોલર વચ્ચે રેસ, જાણો કોણ મારશે બાજી

Translate »