Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ગાંધીધામમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને એક યુવકને પિતા-પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો

ગાંધીધામમાં રોટરીનગરમાં રહેતા કિરણકુમાર ડાયાભાઇ પરમારે પોલીસ સ્ટેશનમાં એક પિતા-પુત્ર વિરુદ્ધ મૂઢ માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ ફરિયાદી ગત સાંજે સેકટર ૬ તેમના માસીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અનિલભાઈ સોલંકીની દુકાન વણઝારી કૃપા પાસેથી પસાર થતા અનિલભાઈએ તેને બોલાવ્યા અને અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને ગાળો બોલવા મંડ્યા. કિરણભાઈએ ગાળો બોલવાની ના પાડી તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને દુકાનમાં પડેલો લાકડાનો ધોક્કો લઈને તેમને હાથમાં માર માર્યો. બાદમાં નજીકમાં રહેતા કિરણભાઈના માસીનો દીકરો દિપક અને કિરણભાઈનો મોટો ભાઈ અશ્વિન ત્યાં આવી પહોંચ્યા અને વચ્ચે પડતા અનિલભાઈ અને તેમનો દીકરો બન્ને મળીને અશ્વિન તથા કિરણભાઈને ધકક બુશર્ટનો માર મારેલ. કિરણભાઈના મમ્મી વચ્ચે પડતા તેમને પણ ધક્કા મારીને પડાવી દીધેલ. ત્યાર બાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા જેથી આ પિતા-પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા.

संबंधित पोस्ट

 મોરકંડા રોડ પર ચાર સખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી

Karnavati 24 News

અરવલ્લી : ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકશો તો જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાશે

Karnavati 24 News

કલેક્ટરએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા કેટલાંક આદેશ

Karnavati 24 News

નશાખોરો સામે પોલીસની લાલ આંખ:ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણી પર રોક લગાવવા રાત્રે પોલીસ એક્શન મોડમાં આવશે, નશાખોરોને પકડવા સઘન ચેકીંગ

Karnavati 24 News

भतीजे ने अपने ही चाचा की पीट-पीटकर कर डाली हत्या

Admin

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Karnavati 24 News