Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ગાંધીધામમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને એક યુવકને પિતા-પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો

ગાંધીધામમાં રોટરીનગરમાં રહેતા કિરણકુમાર ડાયાભાઇ પરમારે પોલીસ સ્ટેશનમાં એક પિતા-પુત્ર વિરુદ્ધ મૂઢ માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ ફરિયાદી ગત સાંજે સેકટર ૬ તેમના માસીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અનિલભાઈ સોલંકીની દુકાન વણઝારી કૃપા પાસેથી પસાર થતા અનિલભાઈએ તેને બોલાવ્યા અને અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને ગાળો બોલવા મંડ્યા. કિરણભાઈએ ગાળો બોલવાની ના પાડી તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને દુકાનમાં પડેલો લાકડાનો ધોક્કો લઈને તેમને હાથમાં માર માર્યો. બાદમાં નજીકમાં રહેતા કિરણભાઈના માસીનો દીકરો દિપક અને કિરણભાઈનો મોટો ભાઈ અશ્વિન ત્યાં આવી પહોંચ્યા અને વચ્ચે પડતા અનિલભાઈ અને તેમનો દીકરો બન્ને મળીને અશ્વિન તથા કિરણભાઈને ધકક બુશર્ટનો માર મારેલ. કિરણભાઈના મમ્મી વચ્ચે પડતા તેમને પણ ધક્કા મારીને પડાવી દીધેલ. ત્યાર બાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા જેથી આ પિતા-પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા.

संबंधित पोस्ट

તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

Admin

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

શ્રદ્ધા હત્યા કેસ માટે દિલ્હીમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં હંગામો, મહિલાએ પુરુષને ચપ્પલથી માર્યો દે ધનાધન માર

Admin

ગાઝિયાબાદ: 243 કિલો ગાંજા સહિત 3 દાણચોરોની ધરપકડ એનસીઆરમાં માંગ પુરવઠા પર

Karnavati 24 News

રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપ ને ઝડપી જેલ હવાલે કરાયો

Admin
Translate »