Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કોવિડ ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, 91,810 અરજીઓમાંથી 58840 અરજી મંજુર

વાપીમાં હોટેલ માધવ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની સૂચના બાદ દરેક જિલ્લામાં કોંગ્રેસે સર્વે હાથ ધરી કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોનો સાચો આંકડો મેળવ્યો હતો. અને એ આંકડા આધારે તેમના પરિવારજનોને 4 લાખની સહાય મળે તે માટે આંદોલન ચલાવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 91,810 અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી 58840 અરજીઓ મંજુર થઈ છે. હાલ 15 હજાર અરજીઓ પેન્ડિંગ છે. સરકાર હાલમાં મૃતકોના પરિવારજનોને માત્ર 50 હજારની સહાય ચકવે છે. જે નગણ્ય છે. એટલે આ મામલે અમે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે. જેમાં સરકારે સ્પષ્ટ કબુલ્યું છે કે સરકારી ચોપડે નોંધાયેલ મૃત્યુથી વધુ અરજી આવી છે. જ્યારે 11હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. 5 હજાર જેટલી અરજીઓ ટેક્નિકલ કારણોસર રદ્દ થઈ છે. જે અંગે પણ સુપ્રીમ કોર્ટ ટકોર કરી છે. અને તે અંગે કારણ આપવા આદેશ કર્યો છે. સરકાર માફી માંગે એ નહિ ચાલે પરન્તુ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવે,

સરકાર કોઈ દયા નથી કરતી તેવી ટકોર સુપ્રીમ કોર્ટ દ્વારા કરાઇ છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા હતા કે કોવિડ મૃત્યુદર મામલે સરકારે આંકડા છુપાવ્યા છે. જે અંગે ન્યાયિક તપાસ થાય કોંગ્રેસની માંગ છે કે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને 4 લાખનું વળતર મળે, દર્દીઓને મેડિકલ ખર્ચની રકમ મળે, મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનોમાંથી કોઈ એક ને કાયમી નોકરી મળે.

પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશભાઈ ભાણા ભાઈ પટેલ, માજી વલસાડ જિલ્લાપંચાયત વિરોધપક્ષ ના નેતા અને વલસાડ જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેષ વશી, નિલેશભાઈ, મુળજીભાઈ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું.

संबंधित पोस्ट

શું શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું

Karnavati 24 News

જામનગર જિલ્લા માં છેલ્લા ૨૪ કલાક માં થયેલ વરસાદ ની અપડેટ

Karnavati 24 News

કાળને કોણ રોકી શકે ? ઓલપાડ ટેક્સટાઇલ યુનિટમાં કામ કરતો યુવક પરત ફરતો અને કન્ટેનરચાલકે અડફેટે લેતા મોતને ભેટ્યો

Karnavati 24 News

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News

 અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

Karnavati 24 News

ભરૂચ:ઉનાળાની શરૂઆત સાથે જ જળ ઓછાં થતા કાંઠા છોડતી નર્મદા નદી,અનેક સ્થળે નદી સુકાઈ

Karnavati 24 News