Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સમાજવાદી પાર્ટીને ઝટકો, મુલાયમ યાદવના પુત્રવધુ અપર્ણા ભાજપમાં જોડાયા

અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અપર્ણા સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ છે. ભાજપમાં જોડાયા બાદ અપર્ણા યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. અપર્ણાએ એમ પણ કહ્યુ કે રાષ્ટ્રધર્મ તેમની માટે સૌથી ઉપર છે.

અપર્ણા યાદવે ગુંડાગર્દીનો ઉલ્લેખ કરતા સપા પર નિશાન સાધ્યુ હતુ, તેમણે કહ્યુ કે, “સપાના શાસનમાં ગુંડાગર્દીને એટલુ મહત્વ આપવામાં આવતુ હતુ કે, બહેન-દીકરી સુરક્ષિત નહતી. સાંજ થતા જ ઘરના દરવાજા બંધ થઇ જતા હતા. મારી માટે રાષ્ટ્ર સૌથી જરૂરી છે, માટે હું હંમેશા વડાપ્રધાનથી પ્રભાવિત રહી છું.” આ દરમિયાન કેશવ પ્રસાદ મોર્યએ કહ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં અખિલેશ નિષ્ફળ રહ્યા છે, સાથે જ તે પરિવારમાં પણ નિષ્ફળ છે. આ કારણે તે વિધાનસભા ચૂંટણી લડવાથી પણ બચી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે અપર્ણા યાદવ લખનઉં કૈંટ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ સમાજવાદી પાર્ટીમાં રહેતા એવુ થઇ શકતુ નહતુ. અખિલેશ યાદવ બોલી ચુક્યા હતા કે તે પરિવારના કોઇ સભ્યને ટિકિટ આપવાના નથી. જેને લઇને અપર્ણા અને અખિલેશ યાદવ વચ્ચે ટકરાવ શરૂ થયો હતો. તે પછી એવા સમાચાર આવ્યા કે અપર્ણા ભાજપના નેતાઓના સંપર્કમાં છે અને જલ્દી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ શકે છે, જેને હવે અપર્ણાએ સાબિત કરી દીધુ છે.

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

Karnavati 24 News

અમદાવાદ બાવળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ 424 VIP લોકોની સુરક્ષા લીધી પરત

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અજય દેવગણની હાજરીમાં ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે, પોલીસીનો આ છે હેતુ

Karnavati 24 News

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin
Translate »