Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સમાજવાદી પાર્ટીને ઝટકો, મુલાયમ યાદવના પુત્રવધુ અપર્ણા ભાજપમાં જોડાયા

અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અપર્ણા સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ છે. ભાજપમાં જોડાયા બાદ અપર્ણા યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. અપર્ણાએ એમ પણ કહ્યુ કે રાષ્ટ્રધર્મ તેમની માટે સૌથી ઉપર છે.

અપર્ણા યાદવે ગુંડાગર્દીનો ઉલ્લેખ કરતા સપા પર નિશાન સાધ્યુ હતુ, તેમણે કહ્યુ કે, “સપાના શાસનમાં ગુંડાગર્દીને એટલુ મહત્વ આપવામાં આવતુ હતુ કે, બહેન-દીકરી સુરક્ષિત નહતી. સાંજ થતા જ ઘરના દરવાજા બંધ થઇ જતા હતા. મારી માટે રાષ્ટ્ર સૌથી જરૂરી છે, માટે હું હંમેશા વડાપ્રધાનથી પ્રભાવિત રહી છું.” આ દરમિયાન કેશવ પ્રસાદ મોર્યએ કહ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં અખિલેશ નિષ્ફળ રહ્યા છે, સાથે જ તે પરિવારમાં પણ નિષ્ફળ છે. આ કારણે તે વિધાનસભા ચૂંટણી લડવાથી પણ બચી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે અપર્ણા યાદવ લખનઉં કૈંટ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ સમાજવાદી પાર્ટીમાં રહેતા એવુ થઇ શકતુ નહતુ. અખિલેશ યાદવ બોલી ચુક્યા હતા કે તે પરિવારના કોઇ સભ્યને ટિકિટ આપવાના નથી. જેને લઇને અપર્ણા અને અખિલેશ યાદવ વચ્ચે ટકરાવ શરૂ થયો હતો. તે પછી એવા સમાચાર આવ્યા કે અપર્ણા ભાજપના નેતાઓના સંપર્કમાં છે અને જલ્દી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ શકે છે, જેને હવે અપર્ણાએ સાબિત કરી દીધુ છે.

संबंधित पोस्ट

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે,પ્રિયંકા ગાંધી પણ ટુક સમયમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

 જૂનાગઢ જિલ્લામાં બહુમત ગ્રામ પંચાયતો પર ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Karnavati 24 News

 મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી

Karnavati 24 News

चीन के ही हथियार का अब हो रहा उसके खिलाफ इस्‍तेमाल, अपने ही जाल में बुरा फंसा है ड्रैगन

Admin

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

Karnavati 24 News

આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વલસાડમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો

Admin