Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાષ્ટ્રિય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ નાગરિકોને પ્રજાસત્તાક દિને સન્માનિત કરાશે

૨૬ મી જાન્યુઆરી-૨૦૨૨ પ્રજાસ્તાક દિનની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જામનગર શહેર-જિલ્લાના ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ નાગરિકોનુ સન્માન કરવામાં આવનાર છે. જેમાં તા.૧૫/૦૮/૨૦૨૧ થી અત્યાર સુધી જામનગર શહેર તથા જિલ્લામાંથી રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા ગયેલ હોય અથવા વિજેતા બનેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશેષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ હોય તેઓએ પોતાના બાયોડેટા તથા પ્રમાણપત્રો સાથે તા.૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં ૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતે પહોંચતા કરવા તથા જરૂર જણાયે ફોન.નં. (૦૨૮૮)૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

संबंधित पोस्ट

પ્રાકૃતિક ખેતીના આ મિશનને સતત નજીકથી જોઈ રહ્યો છું અને પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થાય છે PM

Karnavati 24 News

આ વર્ષે મળ્યા સારા સમાચાર: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

Karnavati 24 News

શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ 5 દિવસ બાદ અડધી રાત્રે હટાવી ઈમરજેંસી, દેશભરમાં ચીન વિરુદ્ધ પ્રદર્શન

Karnavati 24 News

જ્ઞાનવાપી પર આજે નવા કેસની સુનાવણી: વિશ્વ વૈદિક સનાતન સંઘની માંગ – મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ;

Karnavati 24 News

ઓલપાડ : કીમ ગામે કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું

Karnavati 24 News

1 ઓક્ટોબરથી માત્ર આ લોકોને જ મળશે વીજળી સબસિડી, આ ત્રણ રીતે કરો અરજી નહીં તો તમારે આખું બિલ ચૂકવવું પડશે.

Karnavati 24 News