Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના 55 નેતાઓને જામીન આપવામાં આવ્યા છે. 10 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

20 ડિસેમ્બરે ભાજપના હેડ ક્વાર્ટર કમલમ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના 55 નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તે બાદ આપના નેતાઓ સહિત ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટોળામાંથી 93 લોકોની ધરપકડ કરી હતી જેમાંથી 28 મહિલા અને 65 પુરૂષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા બાકીના 65 કાર્યકરમાંથી 10ને જામીન આપ્યા હતા જ્યારે બાકી કાર્યકરોની જામીન અરજી આજે સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.

ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર કમલમ ખાતે ગેરકાયદે મંડળી રચી આશરે 500 માણસનું ટોળુ એક સંપ થઇને કમલનો ગેટ તોડીને અંદર પ્રવેશ કરી, પગથિયા પર બેસી અંદર આવવા-જવાનો રસ્તો રોકી, મહિલા કાર્યકરો સાથે શારીરિક અડપલા કરી મારામારી કરી હતી. ભાજપના કાર્યકરો તથા પોલસી પર તેમના હાથમાં રહેલા બેનરો લગાડેલી લાકડીનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઇજા પહોચાડી હતી. ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી.

 

संबंधित पोस्ट

દક્ષિણ ભારતનું સૌથી મોટું મ્યુઝિક લેબલ લાહિરી મ્યુઝિકનું ફિલ્મ નિર્માણમાં પ્રવેશ

Karnavati 24 News

CAની આર્ટિકલશિપનો સમય ત્રણથી ઘટાડી બે વર્ષનો કરાશે, ઇન્ટર પછી બે વર્ષની ફરજિયાત આર્ટિકલશિપ કરવી પડશે

Admin

મુખ્યમંત્રી ભૂપેશ કેરળના કોલ્લમ પહોંચ્યા, રાહુલ ગાંધી સાથે આજે 12 કિમી ચાલશે, કન્યાકુમારી-કોચી હાઈવે પર પ્રથમ સ્ટોપ પછી રાયપુર પરત ફરશે

Karnavati 24 News

પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ

Karnavati 24 News

આ મારી છેલ્લી ચૂંટણી છેઃ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતે કહ્યું- ચૂંટણી ગુપ્ત છે, 18 સુધીમાં ઘણું બદલાઈ જશે; વડાપ્રધાનને બોલાવ્યા, વાત કરી નહીં

Karnavati 24 News

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News