Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશનની શરૂઆત કરવાની જાહેરાત કર્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 15થી 18 વર્ષની વયના 26 લાખ બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ ગોઇંગ છે જેથી વેક્સિનેશન માટે સ્કૂલોમાં કેમ્પ કરવામાં આવશે. આ ત્રણ રીતે બાળકોને રસી અપાશે- (1) સ્કૂલોમાં કેમ્પ યોજાશે. તબીબો પણ હાજર રહેશે, (2) વાલીઓ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રમાં બાળકોને લઈને રસી અપાવડાવશે. (3) સ્કૂલે નહીં જતા બાળ‌કો માટે રસીકરણ ડ્રાઇવ શરૂ કરી ઘરે તંત્ર પહોંચશે. બાળકો માટે કોરોનાની રસી ફરજિયાત નથી છતાં કોરોનાને હરાવવા માટે તમામ વાલીઓ સહકાર આપે અને પોતાના બાળકોને રસી મુકાવે તેવી અપીલ જયપ્રકાશ શિવહરેએ કરી છે. શિવહરેએ કહ્યું કે જે રીતે રસીકરણ દ્વારા દેશ પોલિયોમુક્ત બન્યો એમ કોરોનામુક્ત બનાવવા માટે સહકાર જરૂરી છે. 15-18 વર્ષના કિશોરોને સ્કૂલ સર્ટિ કે આઇડી કાર્ડ માન્ય.. 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણ માટે 1 જાન્યુઆરીથી કૉવિન એપ પર રજિસ્ટ્રેશન કરી શકાશે. જન્મતારીખનો ઉલ્લેખ હોય એવું સ્કૂલના રિઝલ્ટનું કોઈપણ પ્રમાણપત્ર માન્ય રહેશે. સાથે જ સ્કૂલ આઇડી કાર્ડ પણ માન્ય રહેશે.

संबंधित पोस्ट

દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય – નરેન્દ્રભાઇ મોદી

Admin

Hardik Patel ની BJP માં એન્ટ્રી: Hardik 12.39 PM પર વિજય મુહૂર્તમાં BJP માં જોડાયો, રોડ શો કર્યો; કહ્યું – ઘર વાપસી

Karnavati 24 News

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

Karnavati 24 News

ઉદ્ધવ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કરશેઃ શિંદેએ પાર્ટી પર દાવેદારી નોંધાવ્યા બાદ ઉદ્ધવ FB લાઈવ કરશે, 5 વાગ્યા હતા, હજુ શરૂ નથી થયું

Karnavati 24 News

કોવિડ ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, 91,810 અરજીઓમાંથી 58840 અરજી મંજુર

Karnavati 24 News