Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 ધિણોજથી સુણસર સુધી રોડ માટે માર્ગ અને મકાન વિભાગ તથા ONGCએ હાથ ખંખેર્યા

ચાણસ્મા તાલુકાના ધિણોજથી વાયા ખલીપુર સુણસરને જોડતો 5 કિલોમીટર પાકો રોડ છેલ્લા કેટલાય સમયથી તૂટી જતાં વાહન ચાલકો પરેશાન છે. ધિણોજ અને સુણસર આજુબાજુ ઓએનજીસીના કૂવાઓ આવેલા છે જેના કારણે મોટા વાહનોની પણ અવરજવર રહે છે. આ રોડ સુણસરથી વડાવલી સુધી જાય છે જેના કારણે વડાવલીથી ધિણોજ વચ્ચે આવતા ગામો માટે મહેસાણા, સૌરાષ્ટ્ર કે બહુચરાજી જવા આવવા અતિ મહત્વનો માર્ગ છે.

આ રોડને રિપેરીંગ કરાવવા સુણસર, વડાવળી, મેરવાડા સહિતના અગ્રણીઓએ માર્ગ મકાન સહિત ઉચ્ચ વિભાગમાં રજૂઆતો કરાઈ છે પરંતુ માર્ગ-મકાન કહે છે કે અમારામાં આવતો નથી ઓએનજીસી દ્વારા બનાવાયો છે તો ઓએનજીસી કહે છે કે આ રોડ અમારામાં આવતો નથી તેમ કહી એકબીજા માથેથી ખભે કરી છેલ્લા છ માસથી આ રોડની હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે.

મેરવાડાના નવીનભાઈ વ્યાસ અને વડાવલીના અગ્રણી ડાહ્યાભાઇ પટેલે જણાવ્યું કે વડાવલીથી વાયા સુણસર ખલિપુર ધિણોજને જોડતો આ રોડ અમારા માટે મહેસાણા જવા માટે અને સુણસર, ધારપુરી, મેરવાડા બાજુના 5થી 6 ગામના લોકોને બહુચરાજી કે સૌરાષ્ટ્રમાં કે ચાણસ્મા તરફ જવા માટે ટૂંકો રસ્તો છે જે તાત્કાલિક રીપેરીંગ કરાવવા માંગ છે.

संबंधित पोस्ट

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

Karnavati 24 News

 ચાણસ્માના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક આમળાની સફળ રીતે ઉત્પાદન મેળવ્યું, બે વિઘામાંથી વર્ષે 1.20 લાખની કમાણી

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

CIFRI Kolkata में 1 पद पर निकली भर्ती। अधिक जानकारी के लिए नीचे क्लिक करें।

Karnavati 24 News

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલે યોજાનારી પરીક્ષા સંદર્ભે દાહોદ જિલ્લાના તાલુકા મથકો ઉપર ૯૦ કેન્દ્ર, ૧૦૪૦ બ્લોકમાં કુલ ૩૧૧૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

Karnavati 24 News