Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 ધિણોજથી સુણસર સુધી રોડ માટે માર્ગ અને મકાન વિભાગ તથા ONGCએ હાથ ખંખેર્યા

ચાણસ્મા તાલુકાના ધિણોજથી વાયા ખલીપુર સુણસરને જોડતો 5 કિલોમીટર પાકો રોડ છેલ્લા કેટલાય સમયથી તૂટી જતાં વાહન ચાલકો પરેશાન છે. ધિણોજ અને સુણસર આજુબાજુ ઓએનજીસીના કૂવાઓ આવેલા છે જેના કારણે મોટા વાહનોની પણ અવરજવર રહે છે. આ રોડ સુણસરથી વડાવલી સુધી જાય છે જેના કારણે વડાવલીથી ધિણોજ વચ્ચે આવતા ગામો માટે મહેસાણા, સૌરાષ્ટ્ર કે બહુચરાજી જવા આવવા અતિ મહત્વનો માર્ગ છે.

આ રોડને રિપેરીંગ કરાવવા સુણસર, વડાવળી, મેરવાડા સહિતના અગ્રણીઓએ માર્ગ મકાન સહિત ઉચ્ચ વિભાગમાં રજૂઆતો કરાઈ છે પરંતુ માર્ગ-મકાન કહે છે કે અમારામાં આવતો નથી ઓએનજીસી દ્વારા બનાવાયો છે તો ઓએનજીસી કહે છે કે આ રોડ અમારામાં આવતો નથી તેમ કહી એકબીજા માથેથી ખભે કરી છેલ્લા છ માસથી આ રોડની હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે.

મેરવાડાના નવીનભાઈ વ્યાસ અને વડાવલીના અગ્રણી ડાહ્યાભાઇ પટેલે જણાવ્યું કે વડાવલીથી વાયા સુણસર ખલિપુર ધિણોજને જોડતો આ રોડ અમારા માટે મહેસાણા જવા માટે અને સુણસર, ધારપુરી, મેરવાડા બાજુના 5થી 6 ગામના લોકોને બહુચરાજી કે સૌરાષ્ટ્રમાં કે ચાણસ્મા તરફ જવા માટે ટૂંકો રસ્તો છે જે તાત્કાલિક રીપેરીંગ કરાવવા માંગ છે.

संबंधित पोस्ट

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News

રાજકોટવાસીઓ બેસબરીનો આવશે આજે અંત: વડાપ્રધાન મોદી ત્રણ ઓરબ્રિજનું લોકાર્પણ કરી ટ્રાફિકની સમસ્યાનો કરશે હલ

Admin

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

ભિષણ આગ:પોશીનાના ખંઢોરા(વાવડી) માં ઘરમાં આગ લાગતાં અનાજ સહિત ઘરવખરી ખાખ

Karnavati 24 News

 જૂનાગઢમાં આજથી વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય મંડળની પ્રબંધ સમિતિની બેઠક

Karnavati 24 News