Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જીતન રામ માંઝીની જીભ કાપનારાને 11 લાખ ઇનામની જાહેરાત કરનારાને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી દ્વારા બ્રાહ્મણો પર કરવામાં આવેલી ટિપ્પણી બાદથી બિહારનું રાજકારણ ગરમાયુ છે. માંઝીના નિવેદન પછી ભાજપના નેતા ગજેન્દ્ર ઝાએ જાહેરાત કરી હતી કે પૂર્વ મુખ્યમંત્રીની જીભ કાપીને લાવનારાને 11 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. આ જાહેરાત તેમની પર ભારે પડી ગઇ છે. ઝાના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ કાર્યવાહી કરતા ગજેન્દ્ર ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે અને સ્પષ્ટીકરણ માંગ્યુ છે.

ભાજપ પ્રદેશ કાર્યકારિણીના સભ્ય અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ મહાસભાના મહાસચિવ ગજેન્દ્ર ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની સાથે જ મધુબની જિલ્લા અધ્યક્ષ શંકર ઝાએ 15 દિવસની અંદર સ્પષ્ટીકરણની માંગ કરી છે. ભાજપ જિલ્લા અધ્યક્ષ શંકર ઝા દ્વારા જાહેર પત્રમાં લખવામાં આવ્યુ કે..તમારા દ્વારા આપવામાં આવેલા અમર્યાદિત નિવેદનથી પાર્ટીને આઘાત લાગ્યો છે. તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ગજેન્દ્ર ઝાને 15 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવાની માંગ કરવામાં આવી છે.

માંઝીના નિવેદન પછી ગજેન્દ્ર ઝાએ સોમવારે નિવેદન આપ્યુ હતુ કે બ્રાહ્મણનો પુત્ર જો માંઝીની જીભ કાપીને લાવે છે તો તેને તે ઇનામ તરીકે 11 લાખ રૂપિયા આપવાની સાથે જીવનભર ભરણ પોષણ પણ કરશે. ગજેન્દ્ર ઝાએ કહ્યુ હતુ કે માંઝી વારંવાર આ રીતના નિવેદન આપે છે જેને બ્રાહ્મણ સમાજ સહન નહી કરે. માંઝીને પદની ગરીમા નથી અને હિન્દૂ સનાતન ધર્મમાં આસ્થા પણ નથી.

संबंधित पोस्ट

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચા ચૂંટાયા

Karnavati 24 News

 ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

Karnavati 24 News

આજથી બે દિવસ માટે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે, સાબરડેરીના વિવિધ પ્લાન્ટનું આજે થશે લોકાર્પણ

Karnavati 24 News

રાજકોટ ખાતે પધારેલા યુવા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીજી નું સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News