જુનાગઢ સમગ્ર રાજ્યમાં કર્મયોગી કર્મચારીઓ દ્વારા છેલ્લા 20 દિવસથી અ ચોક્કસ મદદની હડતાલ પર ઉતર્યા છે ત્યારે આગામી દિવસોમાં બીજી ઓક્ટોબરના રોજ કર્મચારીઓ કચેરીનો ઘેરાવ કરી અને વિરોધ કરવાના મૂડમાં છે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા વાસ્મોના કર્મયોગી કર્મચારીઓ છેલ્લા એક માસથી તેમને વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કર્મચારીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી પગાર વધારો કરવાની માંગ કરી રહ્યા છે પીએફ ગ્રેજ્યુટી જેવા લાભો આપવાની પણ માંગણી કરી છે જેને લઇ અનેક રજૂઆતો કરવા છતાં તેમની માંગણી સંતોષવામાં ન આવતા તેઓ હાલ માસ સી એલ પર છે અને આ પોતાની લડતની આક્રમક બનાવવા માટે બીજી ઓક્ટોબરે ગાંધી જન્મ જયંતિથી કચેરીનો ઘેરાવ કરવો અને ધરણા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ વધુ એક વાર કર્મચારીઓ ગાંધી જયંતી નિમિત્તે પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવશે જ વાસમોના કર્મયોગી કર્મચારીઓ ગાંધી જયંતીના કાર્યક્રમની હાલ તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આ અંગે ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી છે