Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે ગઈ કાલે સાંજે રીક્ષાના પેસેન્જર ભરવાના વારાને લઈને બે રીક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક પર હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોધાઇ છે. જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે જુની શાકમાર્કેટ પાસે રીક્ષા સ્ટેંન્ડ નજીક ગઈ કાલે નરપતસીંહ કલુભા જાડેજા રહે મોટા ખડબા ગામ ચોરાની સામે અને મહેંદ્રસીંહ કરણુભા વાળા રહે મોટા ખડબાગામ વાળાઓ વચ્ચે ગઈ કાલે સાંજે ચારેક વાગ્યે પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થઇ હતી. નરપતસિંહનો રીક્ષામા પેસેંજર ભરવાનો વારો હોવા છતા આરોપીએ આડેથી પોતાના રીક્ષામા પેસેંજર ભરવા લાગતા નરપતસિંહ તેઓને સમજાવવા ગાય હતા. જો કે સમજવાને બદલે આરોપીએ ઉસ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ઝગડો કરી શરીરે ઢીકા પાટુનો માર મારી તેમજ પોતાના પેંન્ટ ના નેફામાથી છરી કાઢી, જમણા હાથના ખંભાથી નીચેના ભાગે મારી ઈજા પહોચાડી હતી. આરોપીએ જમણા હાથની હથેરીમા અને શરીરે ઢીકા પાટૂનો માર મારી મુઢ ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે સ્થાનીક પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી પીએસઆઈ ડીએસ વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

झारखंड में दुर्गा पूजा पंडाल के पास बाइक सवार बंदूकधारियों ने की गोली मारकर हत्या

Admin

मोगा पुलिस ने 01 क्विंटल 20 किलो अफीम के साथ तस्कर को किया गिरफ्तार

Admin

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ દ્વારા નકલી ડિગ્રી વેંચતાની કરી ધરપકડ, 50 હજારમાં વેંચતા હતા નકલી ડિગ્રી

Karnavati 24 News

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કારાવાસ સજા કરવામાં આવી

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin
Translate »