Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

જામનગરમાં ખીમલિયા ગામે ગુરુવારે રાત્રે જામનગરના યુવાનનું ઢીમ ઢાળી દઈ નાશી છુટેલ આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. દારૂના ધંધાર્થી આરોપીઓની બાતમી આપી દેતો હોવાની આશંકાથી યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો સામે આવી છે. અગાઉથી જ કાવતરું રચી આરોપીઓએ મૃતકને ફોન કરીને ઘટના સ્થળે બોલાવી ચોતરફો હુમલો કરી મારી નાખ્યો હોવાની વિગતો જાહેર થઇ છે. જામનગરમાં ધુંવાવ નાકા બહાર રહેતો મહેશ ઉર્ફે મુન્નો કાનજીભાઈ વાગોણા નામનો 32 વર્ષનો યુવાન કે જેનો મૃતદેહ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ખીમલીયા ગામ નજીક પડયો હોવાની માહિતી ગઈ કાલે પરોઢિયે સાડા ચારેક વાગ્યાના અરસામાં એક નાગરિક દ્વારા પોલીસને આપવામાં આવી હતી. જેથી પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યાં 108 ની ટુકડી પણ હાજર હતી, અને યુવાનને મૃત જાહેર કરાયો હતો. પોલીસ દ્વારા મહેશ ઉર્ફે મુન્નાના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. જેના શરીર પર જુદા જુદા સ્થળે છરીના 10 જેટલા ઘા વાગ્યાના નિશાનો જોવા મળ્યા હતા, ઉપરાંત ધોકા વડે પણ મુઢ માર મારવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. જેથી એક થી વધુ શખ્સો દ્વારા સંખ્યાબંધ ઘા ઝીંકી દઇ તેને રહેંસી નાખ્યો હોવાનું પોલીસે તારણ કાઢ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે મૃતકની પત્ની પુનમબેનની ફરિયાદના આધારે જામનગરના ત્રણ શખ્સો સહિતનાઓ સામે પૂર્વ યોજિત કાવતરું ઘડી હત્યા અંગે નો અપરાધ નોંધ્યો છે. જેમાં દારૂના ધંધા ખાર અને પોલીસને બાતમી આપવાના કારણે હત્યા થઇ હોવાનું અનુમાન લગાવાયું છે. આરોપી અમીત અશોકભાઈ પીપળીયા કોળી રહે. કોળીવાસ ધુવાવનાકુ, સાગર ઉર્ફે ધમભા મહાકાલ જયસુખભાઇ કારડીયા રહે.રણજીતનગર જુનો હુડકો બ્લોક નં 1194 જામનગર અને આકાશ ઉર્ફે બબન પરેશભાઈ કોળી રહે. કોળીવાસ જામનગરવાળા સખ્સો સામે હત્યા, હત્યાનું કાવતરા સબબ ફરિયાદ નોંધી પંચકોશી એ ડીવીજન પોલીસે ત્રણેય આરોપીઓના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. પોલીસે ટેકનીકલ ટીમની મદદ લઇ જુદી જુદી ટીમો બનાવી આરોપીઓ સુધી પહોચવા કવાયત શરૂ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઉપરોકત ત્રણેય આરોપીઓને શોધી કાઢી વિધિવત રીતે આજે તેઓની અટકાયત કરી લેવામાં જામનગર પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે સફળતા મળી છે. ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

संबंधित पोस्ट

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની ૧૦૯ કિ.મી. લંબાઇના રસ્તાની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા મે-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન: મંત્રીશ્રી વિશ્વકર્મા

Gujarat Desk

અમદાવાદમાં ઉતરાયણ ના પર્વ પેહલા હવા માં ઊડતી દોરી થી ગળા કપાવા ની ઘટનાં જણાય આવી

Gujarat Desk

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું; ગેરકાયદેસર 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Gujarat Desk

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

Karnavati 24 News

બપાડાના પાટિયા પાસે અકસ્માતમાં યુવકનું મોત

Gujarat Desk

દેહગામ તાલુકા ખાતે ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ યોજાઈ

Gujarat Desk
Translate »