Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

 એશ્વર્યા રાય બચ્ચનની મુશ્કેલી વધી, પનામા પેપર લીક મામલે ED કરશે પૂછપરછ

પનામા પેપર્સ સાથે જોડાયેલા કેસમાં એશ્વર્યા રાય બચ્ચનને EDએ સમન્સ મોકલ્યુ છે. એશ્વર્યા રાયને ઇડીએ પૂછપરછ માટે બોલાવી છે. મહત્વપૂર્ણ છે કે એશ્વર્યાને પહેલા પણ બે વખત બોલાવવામાં આવી હતી પરંતુ બે વખતે તેમણે નોટિસ આપીને સ્થગિત કરવાની ભલામણ કરી હતી.

પનામા પેપર લીક મામલે એક કંપનીના લીગલ દસ્તાવેજ લીક થયા હતા. આ ડેટા જર્મન ન્યૂઝપેપર Suddeutsche Zeitung (SZ)એ Panama Papers નામથી 3 એપ્રિલ 2016માં રિલીઝ કર્યા હતા. જેમાં ભારત સહિત 200 દેશના રાજનેતા, બિઝનેસમેન, સેલિબ્રિટીના નામ સામેલ હતા, જેમની પર મની લૉન્ડ્રિંગના આરોપ લાગ્યા હતા. લિસ્ટમાં 300 ભારતીયોના નામ સામેલ હતા. જેમાં એશ્વર્યા સિવાય અમિતાભ બચ્ચન, અજય દેવગણના નામ પણ સામેલ હતા.

દેશના પૂર્વ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના વકીલ હરીશ સાલ્વે, ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા, મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ઇકબાલ મિર્ચીનું નામ પણ તેમાં સામેલ હતુ.

संबंधित पोस्ट

ગુડબાયની રિલીઝ પહેલા મેકર્સે આપ્યા સારા સમાચાર, માત્ર 150 રૂપિયામાં ફિલ્મની ટિકિટ

શું કૃષ્ણા અભિષેક ગુરુ રંધાવા સાથે ફ્લર્ટ કરશે? નોરા ફતેહી સાંભળીને ચોંકી ગઈ

Karnavati 24 News

અભિનેતા ઇરફાન ખાનની આ અજાણી વાત જે તમે ભાગ્યે જ જાણતા હશો, આ સપનું રહ્યું હતું અધુરું

Karnavati 24 News

રાખી સાવંતની વાત સાંભળીને સ્ટાર્સ પહોંચ્યા પાડોશના ડોક્ટર પાસે, જ્યારે કોફી વિથ કરણમાં અભિનેત્રીએ કહ્યું- ભગવાન ન આપે…

Karnavati 24 News

Laal Singh Chaddha: ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ પહેલા આમિરની ખરાબ હાલત, ચોંકાવનારો ખુલાસો

Karnavati 24 News

બ્રહ્માસ્ત્ર: રણબીર કપૂરે કહ્યું- ફિલ્મ દ્વારા તમારી પોતાની માર્વેલ બનાવવાનો પ્રયાસ, 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે

Karnavati 24 News