Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના એક દિવસ પહેલા વડીયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામમાં સરપંચ સહિતના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓ માટે સમયસર એસટી બસ ચાલુ ના થતા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હનુમાન ખીજડિયાના વિદ્યાર્થીઓને વડિયા સ્કૂલમાં જવા કે આવવા માટે એસટી બસની કોઇ સુવિધા નથી. એસટી વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા અધિકારીઓએ ગ્રામજનોની વાતને નજરઅંદાજ કરી હતી અને અધિકારીઓને વારંવાર ફોન કરવા છતા તેમના ફોનને બ્લેક લિસ્ટમાં મુકી દીધા હતા. તે બાદ ગુસ્સે થયેલા ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં પ્રશ્નની રજૂઆત કરી બસની સુવિધા શરૂ નહી થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

ગ્રામજનો વતી સરપંચે કલેક્ટરને લેખિત રજૂઆત કરતા કહ્યુ કે, અમારા ગામમાં વડીયાથી હનુમાન ખીજડીયાની વિદ્યાર્થી ફેરાની એસ.ટી. બસ ઘણા સમયથી અનીયમીત છે, તથા બગસરા ડેપો મેનેજરને કહીએ તો તે કહે છે કે જેતપુર ડેપોની બસ તમો આવે તથા બગસરા ડેપો મેનેજર બહેન ફોનમાં સરખા જવાબ પણ આપતા નથી તથા અમારા મોબાઇલ નંબર બ્લેક લીસ્ટમાં નાખી દીધેલ છે અને મારા ગામની વિદ્યાર્થીને તથા વિદ્યાર્થીઓ ઘણા સમયથી હેરાન પરેશાન છે. આથી અમારા ગામની વડીયાથી હનુમાન ખીજડીયા રૂટની બસ 1 દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, જેની ગંભીર નોંધ લેવા વિનંતી.

संबंधित पोस्ट

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

Teslaમાં ક્યા ભારતીયને મળી હતી પ્રથમ નોકરી, ખુદ એલન મસ્કે કર્યો ખુલાસો

Karnavati 24 News

ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરતું સ્થળ : ગઢચૂંદડીમાં આવેલી નવલખીવાવ ‘કૂતરાવાવ’

Karnavati 24 News

અષાઢી બિજે મેઘરાજાએ શકુન સાચવ્યા સમગ્ર નાઘેર પંથકમાં દોંઢ ઇંચ વરસાદ વર્ષાવી ખેડૂતો ને ખુશ કર્યા

Karnavati 24 News

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા રદ્દ કરી દેવાતા સુરત જીલ્લા યુથ કોંગ્રેસે આપ્યું આવેદન

Karnavati 24 News

 લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Karnavati 24 News