Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 માણેકવાડામાં ઝેરી દવા પી લેનાર માતાના સ્તનપાનથી પુત્રીને ઝેરની અસર થતા મોત

બગસરાના માણેકવાડામાં પરિણીતાએ કોઇ કારણસર ઝેરી દવા પી લીધા બાદ તેની ચાર માસની પુત્રીને સ્તનપાન કરાવતા તેને પણ ઝેરની અસર થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ.

માણેકવાડા ગામમાં રહેતા કાજલ અજયભાઇ વાઘેલા (ઉ.વ.20)ને માવતરે જવુ હોવાથી પતિએ ખેતરમાં સાંત હાંકવાની હોવાથી પછી જવાનું કહેતા પરિણીતાને લાગી આવ્યુ હતુ. પતિ સહિતના પરીવારજનો સવારે કામે જતા રહ્યા હતા તે બાદ પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. તે બાદ પરિણીતાને બગસરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન પરિણીતાએ તેની ચાર માસની પુત્રી રડતી હોવાથી તેને સ્તનપાન કરાવ્યું હતું. જેમાં બાળકીને પણ ઝેરી દવાની અસર થતા તેને બગસરાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ સ્થિત કે.ટી.ચિલ્ડ્ર્ન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બગસરા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

વલસાડ: ભિલાડ ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂની 1760 બોટલ સાથે 2 પકડાયા, મંગાવનાર વોન્ટેડ જાહેર

Admin

 કીડાણા પાસે બે મહિલા ૧૦ બોટલ શરાબ સાથે ઝડપાઇ

Karnavati 24 News

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ!

Karnavati 24 News

વેરાવળના આંબલિયાળા ફાયરીંગ પ્રકરણમાં આરોપીની માતા સાથે ફરીયાદીને અનૈતિક સંબંધ હોવાથી મારી નાંખવાના ઈરાદે ઘટનાને અંજામ આપ્યું હોવાનો ઘટસ્ફોટ થયો

પાકિસ્તાન: ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર, પૂર્વ PM ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

Admin