Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 માણેકવાડામાં ઝેરી દવા પી લેનાર માતાના સ્તનપાનથી પુત્રીને ઝેરની અસર થતા મોત

બગસરાના માણેકવાડામાં પરિણીતાએ કોઇ કારણસર ઝેરી દવા પી લીધા બાદ તેની ચાર માસની પુત્રીને સ્તનપાન કરાવતા તેને પણ ઝેરની અસર થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ.

માણેકવાડા ગામમાં રહેતા કાજલ અજયભાઇ વાઘેલા (ઉ.વ.20)ને માવતરે જવુ હોવાથી પતિએ ખેતરમાં સાંત હાંકવાની હોવાથી પછી જવાનું કહેતા પરિણીતાને લાગી આવ્યુ હતુ. પતિ સહિતના પરીવારજનો સવારે કામે જતા રહ્યા હતા તે બાદ પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. તે બાદ પરિણીતાને બગસરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન પરિણીતાએ તેની ચાર માસની પુત્રી રડતી હોવાથી તેને સ્તનપાન કરાવ્યું હતું. જેમાં બાળકીને પણ ઝેરી દવાની અસર થતા તેને બગસરાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ સ્થિત કે.ટી.ચિલ્ડ્ર્ન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બગસરા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

 પાટણની રાજનગરી સોસાયટીના રહીશને રખડતા ઢોરે હડફેટે લેતા હાથે ફ્રેક્ચર થયું

Karnavati 24 News

પાકિસ્તાન: ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર, પૂર્વ PM ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

Admin

શંખેશ્વરની મહિલા ના બીજા પતિએ મહિલાને ઢોર મારી દિવાલે માથુ પછાડ્યું,ઘરસંસાર ટકાવી રાખવા દોઢ વર્ષ ત્રાસ સહન કર્યો

Karnavati 24 News

વડોદરા: મધ્યપ્રદેશથી કારમાં શહેર આવતા 2 યુવક બે પિસ્તોલ, 4 જીવતા કારતૂસ સાથે ઝડપાયા, મોટા ગુનાને અંજામ આપવાની શંકા

Karnavati 24 News

સાવરકુંડલામાંથી કપાસની ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા

Karnavati 24 News

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

Karnavati 24 News
Translate »