Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગુજરાતના ખેડૂતો ટ્રાવેલ રેઇનગનથી ઓછા પાણીએ ખેતી કરી શકે છે , પેટ્રોલનો ખર્ચ પણ બચાવી શકે છે આણંદ કૃષિ

યુનિવર્સિટીના યોજાયેલા પ્રિ – ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સમિટમાં અનેક પ્રકારના ખેતીના સંશોધનો રજૂ કરવામાં આવ્યાં હતા . જેમાં ટ્રાવેલ રેઇનગન આકર્ષણનું કેન્દ્રબની છે . આ રેઇનગન થકી ઓછા પાણીએ પણ સારી એવી ખેતી થઇ શકે છે.વળી ડમકી ચલાવવામાં થતો પેટ્રોલ સહિતનો ખર્ચ પણ બચાવી શકે છે . ~ શેર સિંચાઇ માટે અજોડ અને સમાન પાણી સિંચાઇ કરતું સાધન આ અંગે ધૃવ કોટડીયાએ જણાવ્યું હતું કે , આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત પરિધાન ફાર્મા અને એગ્રોટીસ દ્વારા ઓછા પાણીએ વધુ વિસ્તારમાં સિંચાઇ કરી સારો પાક મેળવી શકે તે માટે ટ્રાવેલ રેઇનગન બનાવવામાં આવી છે . ટ્રાવેલ રેઇનગન સિંચાઇ માટે અજોડ અને સમાન પાણી સિંચાઇ કરતું સાધન છે . આ ટ્રાવેલ રેઇનગનએ એક ઓટોમેટીક માનવ સંશાધન વગર સિંચાઇ કરી આપતું શ્રેષ્ઠ સાધન છે . આ ટ્રાવેલ રેઇનગન એ સિંચાઇ માટે 70 મીટરનો રાઉન્ડ એરિયા કવર કરી 300 મીટર લંબાઇના એરિયામાં સરળતાથી કાર્ય કરી બતાવે છે . વિદ્યુત ઉર્જાની પણ ખૂબ જ બચત થાય છે વધુમાં ટ્રાવેલ રેઇનગનના ફાયદા અંગે ધૃવે જણાવ્યું હતું કે , ખેતી માટે પ્રથમ અને મહત્વનો પ્રશ્ન સિંચાઇને લઇને ઉભો થાય છે . આ ટ્રાવેલ રેઇનગન સિંચાઇમાં પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરી શ્રેષ્ઠ સિંચાઇનું માધ્યમ પુરૂ પાડે છે . જોકે , અન્ય સિંચાઇના સંશાધનો જેવા કે ધોરિયા પદ્ધતિ , તો આ પદ્ધતિમાં એક વિઘા વિસ્તારમાં સિંચાઇ માટે 100 થી 150 લાખ લીટર પાણીની જરૂર છે . જ્યારે આ ટ્રાવેલ રેઇનગન સિંચાઇ પદ્ધતિમાં એક વિઘા વિસ્તારમાં સિંચાઇ માટે 20 થી 25 હજાર લીટર ( બે વાર અઠવાડિયા ) માં એટલે કે 50 હજાર લીટર પાણીની જરૂર પડે છે . સૌથી મહત્વની બાબત એ છે કે , વિદ્યુત ઉર્જાની પણ ખૂબ જ બચત થાય છે . બીજા પાણી ખેંચવાના સંશાધનો કે જેનો ઉપયોગ પેટ્રોલ , ડિઝલ , કેરોસીન જે ખર્ચાળ હોય છે . આ ઉપરાંત વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે તો પણ ખર્ચાળ છે . જેમ કે બીજા સિંચાઇના સંશાધનો ઉપયોગ કરે તો એક વીઘા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે સતત બેથી અઢી કલાક મશીન શરૂ રાખી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવો પડે છે . જ્યારે આ રેઇનગન સિંચાઇ પધ્ધતિ એક વિઘા વિસ્તારમાં સિંચાઇ પાણી પહોંચાડવા એક કલાકનો સમય ઉપયોગ કરે છે . તો ઉર્જા 40 ટકાથી 45 ટકા જેટલા જથ્થાની બચત થાય છે .

संबंधित पोस्ट

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ.ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા

Karnavati 24 News

શાહેઆલમ સરકાર ની દરગાહ નો ઉર્સ મોકૂફ

Karnavati 24 News

ભેજાબાજ મેનેજરે જ બેન્કમાં કરી છેતરપિંડી, જૂની નકલી નોટો ઓડિટમાં મૂકી લાખોની ઉપાપત કરી

Karnavati 24 News

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતા અત્યાચાર મામલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન

Karnavati 24 News

Jugjug Jio: ‘द पंजाबन सॉन्ग’ पर मनीष मल्होत्रा ने नीतू कपूर के साथ किया डांस, वीडियो पर करण जौहर का रिएक्शन

Karnavati 24 News

छिपकली जैसा एक दिखने वाला जानवर पैदा कर सकता है दिमाग, जानिए कैसे?

Admin
Translate »