Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગુજરાતના ખેડૂતો ટ્રાવેલ રેઇનગનથી ઓછા પાણીએ ખેતી કરી શકે છે , પેટ્રોલનો ખર્ચ પણ બચાવી શકે છે આણંદ કૃષિ

યુનિવર્સિટીના યોજાયેલા પ્રિ – ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સમિટમાં અનેક પ્રકારના ખેતીના સંશોધનો રજૂ કરવામાં આવ્યાં હતા . જેમાં ટ્રાવેલ રેઇનગન આકર્ષણનું કેન્દ્રબની છે . આ રેઇનગન થકી ઓછા પાણીએ પણ સારી એવી ખેતી થઇ શકે છે.વળી ડમકી ચલાવવામાં થતો પેટ્રોલ સહિતનો ખર્ચ પણ બચાવી શકે છે . ~ શેર સિંચાઇ માટે અજોડ અને સમાન પાણી સિંચાઇ કરતું સાધન આ અંગે ધૃવ કોટડીયાએ જણાવ્યું હતું કે , આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત પરિધાન ફાર્મા અને એગ્રોટીસ દ્વારા ઓછા પાણીએ વધુ વિસ્તારમાં સિંચાઇ કરી સારો પાક મેળવી શકે તે માટે ટ્રાવેલ રેઇનગન બનાવવામાં આવી છે . ટ્રાવેલ રેઇનગન સિંચાઇ માટે અજોડ અને સમાન પાણી સિંચાઇ કરતું સાધન છે . આ ટ્રાવેલ રેઇનગનએ એક ઓટોમેટીક માનવ સંશાધન વગર સિંચાઇ કરી આપતું શ્રેષ્ઠ સાધન છે . આ ટ્રાવેલ રેઇનગન એ સિંચાઇ માટે 70 મીટરનો રાઉન્ડ એરિયા કવર કરી 300 મીટર લંબાઇના એરિયામાં સરળતાથી કાર્ય કરી બતાવે છે . વિદ્યુત ઉર્જાની પણ ખૂબ જ બચત થાય છે વધુમાં ટ્રાવેલ રેઇનગનના ફાયદા અંગે ધૃવે જણાવ્યું હતું કે , ખેતી માટે પ્રથમ અને મહત્વનો પ્રશ્ન સિંચાઇને લઇને ઉભો થાય છે . આ ટ્રાવેલ રેઇનગન સિંચાઇમાં પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરી શ્રેષ્ઠ સિંચાઇનું માધ્યમ પુરૂ પાડે છે . જોકે , અન્ય સિંચાઇના સંશાધનો જેવા કે ધોરિયા પદ્ધતિ , તો આ પદ્ધતિમાં એક વિઘા વિસ્તારમાં સિંચાઇ માટે 100 થી 150 લાખ લીટર પાણીની જરૂર છે . જ્યારે આ ટ્રાવેલ રેઇનગન સિંચાઇ પદ્ધતિમાં એક વિઘા વિસ્તારમાં સિંચાઇ માટે 20 થી 25 હજાર લીટર ( બે વાર અઠવાડિયા ) માં એટલે કે 50 હજાર લીટર પાણીની જરૂર પડે છે . સૌથી મહત્વની બાબત એ છે કે , વિદ્યુત ઉર્જાની પણ ખૂબ જ બચત થાય છે . બીજા પાણી ખેંચવાના સંશાધનો કે જેનો ઉપયોગ પેટ્રોલ , ડિઝલ , કેરોસીન જે ખર્ચાળ હોય છે . આ ઉપરાંત વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે તો પણ ખર્ચાળ છે . જેમ કે બીજા સિંચાઇના સંશાધનો ઉપયોગ કરે તો એક વીઘા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે સતત બેથી અઢી કલાક મશીન શરૂ રાખી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવો પડે છે . જ્યારે આ રેઇનગન સિંચાઇ પધ્ધતિ એક વિઘા વિસ્તારમાં સિંચાઇ પાણી પહોંચાડવા એક કલાકનો સમય ઉપયોગ કરે છે . તો ઉર્જા 40 ટકાથી 45 ટકા જેટલા જથ્થાની બચત થાય છે .

संबंधित पोस्ट

TKSS: दीपिका पादुकोण ने किया कपिल शर्मा को हीरो और प्रोड्यूसर बनने का ऑफर, कॉमेडियन ने कहा- ले लो सारी दौलत

Karnavati 24 News

कोलकाता संग्रहालय में फायरिंग में अर्धसैनिक बल का जवान शहीद, कई घायल

Karnavati 24 News

રાજકોટ ખાતે ધર્મસભામાં સી.આર. પાટીલ અને વિજય રૂપાણી એક સાથે જોવા મળ્યા

Karnavati 24 News

લંડનના સાઉથવાર્ક રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની

Karnavati 24 News

SSC ने बढ़ाई CGL के फॉर्म भरने की तारीख …

Admin

જુનાગઢના ભવનાથ તળેટીમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે સંતો મહંતોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગા ને આપી સલામી

Karnavati 24 News