Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

IPL 2025: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો



(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

અમદાવાદના વિશ્વ પ્રખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ સિઝની ની એટલે કે આઈપીએલ 2025 ની મેચ રમાવવાની શરૂઆત હવે થશે, આજે (મંગળવારે) ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ મેચ રમાશે. જ્યારે IPL 2025ની ગુજરાતમાં રમાનાર મેચને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. જ્યારે શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે, અમદાવાદમાં આઈપીએલ 2025ની કેટલીક મેચ ડે-નાઈટ રમાવાની છે, ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં IPL મેચ દરમિયાન સવારના 6:20 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનનો સમય લંબાવવાનો GMRCએ નિર્ણય કર્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2025 ની ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થવાનો છે, ત્યારે શહેર પોલીસ દ્વારા અલગથી ટીમ બનાવી કોઈપણ પ્રકારની અનઇચ્છનીય ઘટના ના ઘટે તે માટે સ્ટેન્ડ ટુ રહેશે જેમાં, 1 જેસીપી, 3 ડીસીપી, 6 એસીપી, સહિત 1200 પોલીસકર્મી તહેનાત રહેશે.

અમદાવાદના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્યમ ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટીમ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેજમ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

संबंधित पोस्ट

થર્ટી ફર્સ્ટ ઉજવી કારમાં જતાં યુગલનું પોલીસની ઓળખ આપી અપહરણ કરી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી

Gujarat Desk

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

Karnavati 24 News

કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં કામગીરી જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

પહેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં યોજાઈ

Gujarat Desk

પાટણના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

Admin

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે નવો જુસ્સો

Gujarat Desk
Translate »