Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના ૨૧૬૦ ખેડૂતોને નવા વીજજોડાણ ખર્ચમાં રૂ. ૨૨૫ લાખથી વધુની રાહત અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ



છેલ્લાં બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિના ૧૨૭ ખેડૂતોને રૂ. ૮.૭૯ લાખની, જ્યારે કચ્છ જિલ્લામાં ૧૪૦ ખેડૂતોને રૂ. ૨૫.૯૪ લાખની રાહત અપાઈ: ઊર્જા મંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

વિધાનસભા ગૃહ ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા કૃષિ વિષયક વીજજોડાણમાં રાહત અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ માટે અનુસૂચિત જાતિ પેટા યોજના અમલમાં છે. જે અંતર્ગત તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે કેલેન્ડર વર્ષમાં રાજ્યના ૨૧૬૦ અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા વીજજોડાણ પેટે ભરવા પડતાં એસ્ટિમેટમાં કુલ રૂ. ૨૨૫.૨૩ લાખની રાહત આપવામાં આવી છે.

આ યોજના અંગે માહિતી આપતાં ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે વીજકંપનીને એક નવા કૃષિ વિષયક વીજજોડાણ માટે સરેરાશ રૂ. ૧.૭૩ લાખનો થાય છે, પરંતુ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વીજલાઇન તથા ટ્રાન્સફોર્મરનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. અનુસૂચિત જાતિના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવાનો થતો નથી, પરંતુ માત્ર નોંધણી ફી, એગ્રીમેન્ટ ચાર્જ, ટેસ્ટ રિપોર્ટ અને લોડ પ્રમાણે ડિપોઝિટનાં નાણાં ભરપાઈ કરવાના રહે છે.

જે મુજબ, ૫ હોર્સ પાવરના વીજ જોડાણ માટે સામાન્ય યોજના હેઠળ રૂ. ૭૮૫૫ ભરવાના થાય છે, પરંતુ અનુસૂચિત જાતિના ખેડૂતોએ માત્ર રૂ. ૧૩૫૫ ભરપાઈ કરવાના થાય છે. આ જ રીતે, ૧૦ હોર્સ પાવરના વીજ જોડાણ માટે સામાન્ય યોજના હેઠળ રૂ. ૧૪,૧૯૦ની રકમ સામે અનુસૂચિત જાતિના ખેડૂતે માત્ર રૂ. ૨૧૯૦ ભરપાઈ કરવાના થાય છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના ૧૨૭ ખેડૂતોને નવા વીજજોડાણ માટે કુલ રૂ. ૮.૭૯ લાખની રાહત આપવામાં આવી છે.

આ જ પ્રકારે, કચ્છ જિલ્લામાં તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિના ૧૪૦ ખેડૂતોને કૃષિ વિષયક વીજ જોડાણ માટે કુલ રૂ. ૨૫.૯૪ લાખની રાહત આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

Gujarat Desk

લીંબડી સર્કિટ હાઉસ પાસે કાર પલ્ટી મારી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું

Karnavati 24 News

વોટર શેડ ડેવલોપમેન્ટ ઘટક 2.0 ભારત સરકાર દ્વારા કુલ 2.92 લાખ હેક્ટર વિસ્તાર માટે રૂ. 687.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા

Gujarat Desk

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા તા.૧૮મીએ સુરતમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ’ યોજાશે

Gujarat Desk

પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે NOTA બટન બ ન્યું હારનું કારણ

Admin
Translate »