Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મનરેગા યોજના હેઠળ જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૭.૪૬ લાખથી વધુ માનવદિન રોજગારી ઉભી થઈ: ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ



(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા મનરેગા યોજના અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૪,૪૮,૫૮૦ જેટલી તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૭,૬૧૪ માનવદિન રોજગારી ઊભી થઈ છે. જેના માટે એક માનવદિન રોજગારીનો દર ગત તા. ૧/૪/૨૦૨૪થી રૂ. ૨૮૦/- નક્કી કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં ઉભી થયેલી કુલ માનવદિન રોજગારી પૈકી ૧,૬૯,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૨૨,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે ઉભી થઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સભ્યશ્રીના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં અનુસૂચિત જાતિ માટે ૭૦,૦૦૦થી વધુ તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૨,૪૯૪ માનવદિન રોજગારી ઉભી થઈ છે. જ્યારે, વર્ષ ૨૦૨૪-૨૫માં   અનુસૂચિત જાતિ માટે ૪૮,૯૦૦ તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૨,૫૦૮ માનવદિન રોજગારી ઉભી થઈ છે.

संबंधित पोस्ट

સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા તડામાર તૈયારી

Gujarat Desk

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં મહેતા ફ્યુલ કેર દ્વારા રિલાયન્સ JIO BP પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

Karnavati 24 News

‘સરકાર એમની છે, પુરાવા હોય તો અમને જેલમાં નાખી દે…’ કુંવરજી હળપતિના આક્ષેપ સામે ચૈતર વસાવાની પ્રતિક્રિયા

Gujarat Desk

અમદાવાદના વિદ્યાર્થીનું ડાંગમાં કેમ્પ સાઈટ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી મોત

Gujarat Desk

પેટલાદના સુણાવ રોડ પર આવેલી આલ્ફા વુડ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ , ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઇ

Karnavati 24 News

સામાજિક સમસ્યાઓ, કુરિવાજો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદર્શનનું

Admin
Translate »