Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા તડામાર તૈયારી



(જી.એન.એસ) તા.૭

સુરત,

લોકોને સરળતા રહે તેથી રેલ્વે તંત્રએ QR કોડ પણ જાહેર કર્યા છે. સુરત રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે. પ્લેટફોર્મ 2, 3 પર કોન્કોર્સ વર્કને લંબાવવા 60 દિવસ એટલે કો બે મહિના પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે. લોકોને સરળતા રહે તેથી રેલ્વે તંત્રએ QR કોડ પણ જાહેર કર્યા છે. 8 જાન્યુઆરીથી પ્લેટફોર્મ બંધ રહેશે. પ્લેટફોર્મ બંધ રહેતા બધી ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડશે, 201 ટ્રેનો દોડાવવામાં આવશે. અન્ય 164 ટ્રેનો પ્લેટફોર્મ 1 અને 4 પરથી દોડશે. વંદેભારત, રાજધાની, તેજસ, શતાબ્દી, અવધ જેવી 62 ટ્રેનો પ્લેટફોર્મ 1, 4 પરથી દોડશે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના સ્ટેશનના વિવિધ એરિયામાં QR કોર્ડ સ્કેનર મૂકી દેવામાં આવ્યા છે. જેથી કોઇપણ મુસાફરને સમસ્યા સર્જાઈ તો તે સ્કેન કરવાથી તમામ માહિતી મળી જશે. આ સાથે જ મુસાફર ટ્રેનની ટિકિટ બુક કરાવશે ત્યારે જ તેને SMS દ્વારા તેઓને સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગેની માહિતી મળી જશે. જેથી મુસાફરોને હાલાકી વેઠવી પડશે નહીં. તેમજ સુરત, ઉધના, ભેસ્તાન, નવસારી સહિત વલસાડ સુધીના સ્ટેશન પર હેલ્પ ડેસ્ક અને સોશિયલ મીડિયાના એટલે કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને X સહિતના પ્લેટફોર્મ પર પ્રચાર-પસાર કરવામાં આવશે. તેમજ બેનર અને પોસ્ટર પણ લગાવવામાં આવશે.

संबंधित पोस्ट

તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા; હાઇવે પર આવેલી ૧૮૩ જેટલી હોટલો પર દરોડા દરમિયાન રૂા. ૪.૬૩ લાખથી વધુનો દંડ કરાયો

Gujarat Desk

કોલસા મંત્રાલયે ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણિજ્યિક હરાજી પર રોડ શોનું આયોજન કર્યું

Gujarat Desk

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

Karnavati 24 News

કચ્છના દયાપરના ઉર્મિલા બા‌ માટે ભાવનગરનો નમો સખી સંગમ મેળો યાદગાર બન્યો

Gujarat Desk

ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

Gujarat Desk

બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષમાં ૨૨ પાંજરાપોળ તેમજ ૧૮૮ ગૌશાળાઓના ૮૪ હજારથી વધુ ગૌવંશને રૂ. ૮૭ કરોડની  નિભાવ સહાય અપાઈ: પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલ

Gujarat Desk
Translate »