Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત



(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AAની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ વતી વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

મંત્રી શ્રી રાજપૂતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂન ૨૦૦૬માં આદિવાસી સમાજના હિતમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AA હેઠળ કલેકટર અને DDOને વિશેષ સત્તા આપવામાં આવી છે, જેમાં કોઈ વ્યક્તિ કલેક્ટર અને DDOની પરવાનગી વિના જમીન અન્યને વેચાણ કરે તો તેને પરત મળે છે અને વેચાણ કરનારને સજા પણ કરવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 73 AAની તમામ પ્રક્રિયા iORA અંતર્ગત ઓનલાઈન કરવામાં આવી છે જેના પરિણામે સમગ્ર પ્રક્રિયા વધુને વધુ પારદર્શી બની છે.

મંત્રીશ્રીએ પૂછાયેલા પેટા પ્રશ્નનો પ્રત્યુતર પાઠવતા કહ્યું હતું કે, 73 AAની અંતર્ગત આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જેમાં સહકારી પ્રવૃત્તિઓ,ઔદ્યોગિક હેતુ, પેટ્રોલ પંપ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા જમીન આપવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આ હાઇટેક સીસીટીવી નેટવર્કની મદદથી ચોરીના વાહન કે ગુન્હામાં સંડોવાયેલા વાહન જો આંતરરાજ્ય સરહદ ઉપરથી પસાર થાય તો તેનું Real Time alert સંબંધિત જિલ્લાના ‘નેત્રમ’ માં મળશે. સમગ્ર રાજ્યના શહેરોની અંદર અને રાજ્યની સરહદો પર સી.સી.ટી.વી. કેમેરા લાગી જશે ત્યારે વિશ્વાસ સીસ્ટમ રાજ્યની સુરક્ષા માટે સુદર્શન ચક્ર બની જશે.

संबंधित पोस्ट

 દાહોદના અનાસ- રાછરડા ખાતે યોજાયુ ભગત સંમેલન યોજાયું

Karnavati 24 News

ગોંડલ શહેર અને તાલુકા ભાજપ 4 રાજ્યોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવતા પરિવાર દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો

Karnavati 24 News

દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી લેટરકાંડના ફરિયાદીનો નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી

Gujarat Desk

વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રાજ્યની સરહદોના ૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળોએ ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી

Gujarat Desk

૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk
Translate »